આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લોકો બાબરા ભૂતના ચમત્કારની વાતો કરતા; એની સિદ્ધિની ચર્ચા કરતા.
એક સારા દિવસે સિદ્ધરાજે ભગવાન શંકરના મંદિરમાં દર્શન કર્યા.
રાજમાતા મીનળદેવીના પાય પૂજી આશિષ માગી.
પછી બ્રાહ્મણોના જપમંત્રો સાંભળ્યા, અને પોતાની ગજસેના હાંકી.
પાછળ ઘોડેસવારો, એ પછી પગપાળા ચાલતા સૈનિકો નીકળ્યા. આખા નગરમાં યુદ્ધના ઉત્સવ જેવું થઈ ગયું.
દડમજલ ચાલતા લશ્કરે વઢવાણના કિલ્લામાં મુકામ કર્યો.
ખેંગારે નાક કાપ્યું ᠅ ૪૫