આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાણી એ જ પરમેશ્વર
પનઘટનો આરો હતો.
નાની નવેલી પનિહારીઓ સોનાના બેડે રૂપાની ઈંઢોણીએ પાણી ભરવા સંચરી હતી.
પાણી ઊંડા હતાં, ને સીંચવું કઠણ હતું.
પનિહારી-સીંચતા સીંચતાં થાકી ગઈ. દોરડું હાથમાંથી છૂટી ગયું; ઘડા સાથે જઈ પડ્યું ફૂવામાં.
પનિહારી તો રડવા બેઠી ! રોવે, રોવે તે કંઈ રોવે !
બીજી પનિહારીએ પૂછ્યું :
'બહેન ! આટલું રોવે ? ઘડાની ચિંતા ન કરીશ. આ તો પાટણની માટીનો ઘડો. તાંબા-પિત્તળના ઘડાને ઘોબો પડે, પણ આને કંઈ નહિ થાય !'
'બહેન ! ઘડાને રોતી નથી.' પનિહારી બોલી, 'ઘેર બધાં પાણીની રાહ જોઈને બેઠા હશે. સાસુ મને કંઈનું કંઈ સંભળાવશે મારો ધણી લાકડી લઈને ઊભો હશે. અરેરે ! મેં મારી માને કહ્યું હતું કે મને બીજે દેજો, પણ પાટણ કે
પાણી એ જ પરમેશ્વર ᠅ ૫૩