પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

થોડા દિવસે સોમનાથ પહોંચ્યાં.

વાહ સોમનાથ દેવ ! સવાલાખના પૂજાપાથી પ્રભુને પૂજ્યા.

તુલાપુરુષનું દાન દીધું.

ગજદાન દીધાં, ગૌદાન દીધાં, ભૂમિદાન દીધાં.

એ દહાડે સિદ્ધરાજ જયસિંહની ઉદારતાનો દેશમાં ડંકો દેવાઈ ગયો.

ઠેરઠેરથી યાત્રાળુઓ સોમનાથનાં દર્શને ઊતરી પડ્યાં !

ભીડ તે કેવી ભીડ !

એ ભીડમાંથી રાજ સિદ્ધરાજની ઉદારતાના જયનાદો ગુંજી રહ્યા !

રાજા હજો તો આવા હજો !

જાણે દાનેશ્વરી કર્ણનો જ અવતાર !

૭૦ ᠅ સિદ્ધરાજ જયસિંહ