પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પાટણના દેદાર ફરી ગયા, હવા ફરી ગઈ, ભૂમિ ફરી ગઈ ! પાણી એ જ પરમેશ્વર ! જાણે સ્વયં ભગવાન એ ભૂમિ પર અવતર્યા. પછી હસી- ખુશીનો શો પાર રહે ! ફૂલવાડીઓ ફોરી. ખેતરોમાં મોલ ઝૂલવા લાગ્યા. લીલીછમ ધ્રો પર મોર રમવા આવ્યા. આંબાવાડિયે કોયલ ગાવા આવી. વનરાજિમાં હરણાં છલાંગો દેવા લાગ્યાં.*[૧]

- શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી
 

</ref>.


  1. *જસમા ઓડણ વિષે 'રાસમાળા' માં એક આધુનિક રાસડો છે. પણ કોઈ લેખી પુરાવાનો આ દંતકથાને ટેકો નથી. અને તેને વિશ્વસનીય ગણવાનું પણ કારણ નથી.
જનતાની જય ᠅ ૮૫