પૃષ્ઠ:Snehashristi.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪:સ્નેહસૃષ્ટિ
 

‘રાજકુમારના હૃદયમાં સ્થાન હશે તો રાજકુમારીને ઝૂંપડીની ગરીબી કદી ગભરાવી શકે એમ નથી… મહેલનિવાસીને ઝૂંપડીનો નિવાસ ન જ ગમે એમ ન માનીશ… તારામાં અભિમાન આવે તે દિવસે મને સંદેશો મોકલજે… મારે કહેવાનું મેં કહી દીધું. તું હવે જઈ શકે છે… મારે હવે તારી પાસે ભણવું નથી.’ કહી જ્યોત્સ્ના ઊભી થઈ ગઈ અને તેના ખંડને બારણે ટકોરા પડ્યા.