આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮:સ્નેહસૃષ્ટિ
‘સુરેન્દ્રે પોતાનો બધોય પગાર ભજનિકોને આપી દીધો.’
‘એમ ? શું કહે છે તું ?’
‘તેં ન જોયું ?’
‘મૂર્ખાઈને કાંઈ સીમા છે ?’
‘મધુકર ! બે દિવસના ભૂખ્યા કુટુંબને તું જુએ તો તું શું કરે ?’ કારમાં બેસતે બેસતે જ્યોત્સ્નાએ પૂછ્યું.
‘અલબત્ત, એ કુટુંબને સારી રીતે જમાડું.’ મધુકરે કહ્યું.
‘કેટલા પૈસા ખરચીને ?’
‘મારો આખો પગાર આપી દઈને તો નહિ જ ! એ તો મરનારની સંખ્યા વધારવા સરખું પાપ થાય !’ મધુકરે કહ્યું.
જ્યોત્સ્નાએ કાંઈ જવાબ વાળ્યો નહિ…
કાર આગળ ચાલી.