પૃષ્ઠ:Snehashristi.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪:સ્નેહસૃષ્ટિ
 

‘તું છે જ એવો ! બધા અમસ્તા તારી મજાક કરે છે ?’

‘જ્યોત્સ્ના ! જીવન પણ માનવીની એક મહાન મજાક છે, નહિ ?’

‘એ જે હોય તે તારે મને શીખવવા જરૂર આવવાનું છે… કાલથી જ… ભૂલતો નહિ.’

જ્યોત્સ્નાએ સુરેન્દ્રને પોતાની કારમાં જ પાછો ઘેર મોકલ્યો. અને આ વિચિત્ર યુવકનો વિચાર કરતી પાછી ફરી.