પૃષ્ઠ:Snehashristi.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૬:સ્નેહસૃષ્ટિ
 

હોય એમ સુરેન્દ્રને અહીં પણ ભાસ થયો.

સુરેન્દ્રને તો અંદર આવવાની પરવાનગી જ હતી - આમંત્રણ જ હતું. પરંતુ વિશાળ કમ્પાઉન્ડના અનેક બંધ દરવાજાઓમાંથી પ્રવેશનો દરવાજો કયો એ શોધતાં વાર લાગી. અને પ્રવેશ કરતાં જ તેને દેખાયું કે શીખ તથા ગુરખા દરવાનો, વાઘ બનવાની તૈયારી કરી રહેલા કૂતરાઓ, અને એ બન્ને વ્યૂહથી બચી જતાં પ્રત્યેક આવનારને ચોર માનતા પૂછપરછિયા નોકરોનાં ચક્રો ભેદ્યા સિવાય ધનિકગૃહમાં કોઈને પ્રવેશ મળે એમ બને જ નહિ. પ્રવેશ મળ્યો ત્યારે સુરેન્દ્રને આજ્ઞા પણ મળી કે શેઠસાહેબ ચા પી રહે નહિ ત્યાં સુધી એણે રોકાવું !… એટલે કે ઊભા રહેવું !

માનવી રોકાય એના કરતાં ધનિકની ચાનું મહત્ત્વ વધારે જ હોય. અડધા પોણા કલાકની આસાએશ માટે તૈયારી કરી ખુરશી શોધવા મથતા સુરેન્દ્રે પોતાને થતું સંબોધન સાંભળ્યું :

‘સુરેન્દ્ર ! તું અહીં ક્યાંથી ?’

સુરેન્દ્ર પાછળ ફરીને જોયું તો એણે શ્રીલતાને નિહાળી.

‘મને નવનીતલાલ શેઠે બોલાવ્યો છે… પણ તું ક્યાંથી અહીં, શ્રીલતા ?’ સુરેન્દ્રે જવાબમાં પૂછ્યું.

‘નવનીતભાઈ અમારા સગા થાય છે… આજ તો હું અને જ્યોત્સ્ના બન્ને એમની દીકરીઓને મળવા આવ્યાં છીએ.’

‘જ્યોત્સ્ના પણ અહીં છે ?’

‘હા, ભાઈ ! તને ગમે કે ન ગમે તોપણ અમે તો બધે જ ખરાં. ચાલ અંદર, બધાં સાથે ચા પીએ.’

‘હું તો ચા પીતો જ નથી ને !’

‘ભલે, પણ અમસ્તો આવીને તો બસ !’

‘હું કોઈને ઓળખતો નથી… અને મને આમંત્રણ નથી.’

‘આમંત્રણ મારું માની લેજે…’ કહીને શ્રીલતાએ તેનો હાથ ઝાલી ખેંચ્યો અને બન્ને જણ બંગલાની અંદરના ભાગમાં ગયાં.

એક સરસ શૃંગારિત ખંડમાં બેસી ત્રણચાર છોકરાઓ, ત્રણચાર છોકરીઓ, ગૃહિણી ને ગૃહમાલિક તથા જ્યોત્સ્ના તેમ જ મધુકર સાથે બેસી ચા પીતાં હતાં ! સુરેન્દ્રને જોતાં બરાબર મધુકર ચમકી ઊઠ્યો, અને તેની નોંધ જ્યોત્સ્નાએ લીધી હોય એમ પણ સુરેન્દ્રને લાગ્યું.

‘આ અમારાં સહુના મિત્ર છે… શ્રી સુરેન્દ્ર… બહુ માનવંત મિત્ર