પૃષ્ઠ:Snehashristi.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રવેશનું પહેલું પગથિયું:૪૩
 

‘કેમ ? તમને ખબર નથી ?’ બહેનને અભ્યાસમાં એ મદદ આપવાના છે.

‘બહેનને મદદની જરૂર નથી, સાહેબ !… હું જરા એમને મળી શકું ?’

‘હા હા, કેમ નહિ !… એ તો કહે છે કે તમે બધાં મિત્રો છો !’

‘હા જી. માટે જ મળવું છે.’

‘વારુ, તમે મારા સેક્રેટરી છો એમ અત્યારથી જ માનીને ચાલશો.’ કહી રાવબહાદુર આરામ લેવા માટે ગયા.

મધુકરે જ્યોત્સ્નાને મળવા કહેણ મોકલાવ્યું. પરંતુ જ્યોત્સ્નાને અત્યારે મધુકરને મળવાની ફુરસદ ન હતી.

‘એમ ?’ કહી મધુકર સાંજે પાછો આવવા માટે રાવબહાદુરનું મકાન છોડી ચાલ્યો ગયો.