આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રવેશનું પહેલું પગથિયું:૪૩
‘કેમ ? તમને ખબર નથી ?’ બહેનને અભ્યાસમાં એ મદદ આપવાના છે.
‘બહેનને મદદની જરૂર નથી, સાહેબ !… હું જરા એમને મળી શકું ?’
‘હા હા, કેમ નહિ !… એ તો કહે છે કે તમે બધાં મિત્રો છો !’
‘હા જી. માટે જ મળવું છે.’
‘વારુ, તમે મારા સેક્રેટરી છો એમ અત્યારથી જ માનીને ચાલશો.’ કહી રાવબહાદુર આરામ લેવા માટે ગયા.
મધુકરે જ્યોત્સ્નાને મળવા કહેણ મોકલાવ્યું. પરંતુ જ્યોત્સ્નાને અત્યારે મધુકરને મળવાની ફુરસદ ન હતી.
‘એમ ?’ કહી મધુકર સાંજે પાછો આવવા માટે રાવબહાદુરનું મકાન છોડી ચાલ્યો ગયો.