પૃષ્ઠ:Snehashristi.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧
 
ચાર આંખો
 

હાથમાંથી પુસ્તક પડી જાય એટલો કંપ પુરુષના હૃદયની કોઈ ઉષ્માને ઓળખાવે ખરો. સુરેન્દ્રના હૃદયમાં ક્યો ભાવ જાગ્યો હશે ?… જેણે એનાં મજબૂત આંગળાંને હલાવી નાખ્યાં ? પ્રેમ ન હતો ? ભય હતો ? જ્યોત્સ્નાનો ?

‘સરસ સૂચન ! આંખ પણ ચાર અને હાથ પણ ચાર ! એકાદ ચિત્ર કાઢી જોજે - ઘણાં ઠઠ્ઠાચિત્રમાં કામ લાગશે.’ સુરેન્દ્રે પુસ્તક પડી ગયાનો પ્રસંગ સાચવી લેવા હસીને કહ્યું.

‘ચિત્ર તો કોણ જાણે !… પરંતુ કહે તો તારી છબી પાડી લઉં.’ જ્યોત્સ્નાએ કહ્યું અને તે ઊઠીને ઊભી થઈ - જાણે કબાટમાંથી ‘કૅમેરા’ કાઢવા જતી હતી.

‘તો… જ્યોત્સ્ના ! વાંચવાની તારી ઈચ્છા નથી… હું હવે જાઉં !’

‘જજે. જવાય છે હવે… જરા બેસ.’ કહી જ્યોત્સ્ના ખરેખર એક સુંદર કબાટ પાસે ગઈ અને કૅમેરાને બદલે એક સુંદર સીસામાંથી ‘ટમાટા’નો વિશિષ્ટ સ્વાદવાળો ‘સૂપ’ એક પ્યાલીમાં કાઢી લઈ આવી અને એ સુરેન્દ્રની સામે મૂકી તેણે કહ્યું :

‘લે, આટલું પી જા. કેવો નબળો પડી ગયો છે તું ? દોરવા લાયક !’

સુરેન્દ્રે જરા વ્યગ્રતા અનુભવી કહ્યું :

‘તું જાણે છે. જ્યોત્સ્ના ! કે હું કાંઈ જ પીતો નથી. ગળી ચીજ તો નહિ જ. અને…’

‘અને બને કાંઈ નહિ, આટલું ચાખી જજો.’ કહી જ્યોત્સ્નાએ પ્યાલી ઉઠાવી બળજબરીથી સુરેન્દ્રના હાથમાં મૂકી દીધી અને પોતે પણ એક પ્યાલી ભરી સીસા સાથે આવી સુરેન્દ્રની સામે બેસી ‘સૂપ’ ચાખવા લાગી.

સુરેન્દ્ર પ્યાલી હાથમાં લઈ જરા વાર બેસી રહ્યો. જ્યોત્સ્ના એને વાંકી આંખે જોયા કરતી હતી. એણે બેસી રહેલા સુરેન્દ્રના પગને પોતાના પગ સહજ અડકાડી કહ્યું :

‘હવે જાગી જા. આ ગળી ચીજ નથી. નથી એ શરબત કે નથી એ