પૃષ્ઠ:Snehashristi.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વૃન્દાવનની કુંજગલી: ૮૩
 


‘સાતસો રૂપિયા.’ એક ગુંડાએ કહ્યું.

‘એટલા રૂપિયા તો અત્યારે અમારી પાસે ન હોય. કહો તો આ મારી બે બંગડીઓ કાઢી આપું, અને એના પૈસા માંડી વાળી બન્નેને જતાં કરો.’ એટલું કહી જ્યોત્સ્નાએ પોતાની હીરાજડિત બંગડીઓ કાઢી ગુંડાઓ સામે ધરી. આપત્તિમાં ન પડવાની સુરેન્દ્રેજ્યોત્સ્નાને સલાહ આપે તે પહેલાં તો જ્યોત્સ્નાએ એ બંગડીઓ કાઢી ગુંડાઓ સામે ધરી દીધી હતી. આખું ટોળું અત્યારે જીવનભરમાં કદી ન જોયેલું દૃશ્ય જોતું હતું. મેળામાંના ઘણાય ગરીબ માણસો આ અનુભવમાંથી પસાર થઈ ચૂક્યા હતા. સહુ કોઈ જાણતા હતા કે ગરીબની સૃષ્ટિમાં પૈસા ન અપાય તો ચોટલાખત કરી આપવું પડે.