પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાત્રનો આદર્શ પૂરો પાડનાર શ્રી છગનભાઈ મોદી પારેવડાવાળાને તો મેં અણદીઠા ને અણસુણ્યા જ સદાને માટે ગુમાવ્યા છે. બે'ક વર્ષ પર એમને કાળે ઝડપ્યા; ને મને એમના જાણકારોએ લખ્યું છે કે એમને પ્રત્યક્ષ દીઠા-અનુભવ્યા હોત તો એ ખેડુ-વણિકનું પાત્ર હું વધુ દીપાવી શક્યો હોત.

જેના પરથી એક દિલેરદિલ ગોરા પોલીસ-અધિકારીનું પાત્ર આલેખાયું છે તે કાઠિયાવાડ એજન્સીના માજી પોલીસ સુપરીન્ટેન્ડન્ટ સૂટર સાહેબ ચારેક વર્ષ પર એકાએક રાજકોટમાં ઝબક્યા હતા, ને મારા પિતાના એક સમકાલીન પોલીસ-અધિકારીના પુત્ર ભાઈશ્રી હિંમતલાલ દલપતરામ પારેખે એમની મુલાકાતમાં એમનો આ ઉપયોગ થયાનું જણાવતાં બુઢ્ઢા ગોરાએ ઊંડી લાગણી અનુભવેલી.

રાણપુર : ૧૫-૫-'૪૧
ઝ૦ મે૦
 


[બીજી આવૃત્તિ]

આ પ્રિય કૃતિને ત્રીજી આવૃત્તિમાં પ્રવેશતી દેખી આનંદ પામું છું. કથાને આગળ ચલાવવાની ઉત્કંઠા ફરી પાછી મનમાં ઘોળાય છે. ક્યારે કરી શકીશ – કરી શકીશ કે નહિ – એ કહી શકતો નથી.

ઝ૦ મે૦
 

[પાંચમી આવૃત્તિ]

આ નવલકથાની લીલાભૂમી અને પાત્રસૃષ્ટિને વશુ વિશદ બનાવતાં લેખકનાં કેટલાંક લખાણો સંકલિત કરીને આ આવૃત્તિમાં પરિશિષ્ટરૂપે આપ્યાં છે. આશા છે કે આ સામગ્રીમાં વાચકોને રસ પડશે.

2000
જયંત મેઘાણી
 
[9]