પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
સોરઠી બહારવટીયા :૨
 

મૂળુ કને આવીઆ માણા
કેા' મુંઝાણા કરવું કેમ !
વાળો કહે, મલકને વળગો
જેસા વેજા વળગ્યા જેમ. ૧૦

[જેતપુર મૂળુવાળાની પાસે માણસો (કાઠીઓ) આવ્યા. પૂછ્યું કે, કહો, હવે શું કરીએ ? વાળાએ કહ્યું કે, જેસા વજા જેમ બહારવટે નીકળી દેશને ધબેડતા તેમ તમે પણ ધબેડો.]

મરદાં સજો થાવ હવ માટી !
આંટી પડી નકે ઉગાર,
અધપતીઓના મલક ઉજાડો
ધાડાં કરી લૂંટો ધરાર. ૧૧

[હે મરદો ! હવે બહાદૂર થઈને સાજ સજો, હવે એવી આંટી પડી છે કે ઉગાર નથી. હવે તે રાજાઓના મુલકને ઉજ્જડ કરો. ધાડ પાડીને ધરાર લુંટો.]

એ કથ સુણી ભરિયા ઉચાળા
ગરના ગાળામાંય ગીયા,
વાંસેથી ખાચર ને વાળા
રાળા ટાળા કરી રીયા. ૧૨

(જેતપૂર મુળુવાળાનું આવું કથન સાંભળીને ખુમાણોએ ઉચાળા ભર્યા. ભરીને ગિરની ખીણોમાં ગયા. પણ પાછળથી ખાચરો અને વાળાઓ ખટપટ કરવા માંડ્યા.]

પરથમ એ ખૂટામણ પેઠું
બેઠું સહુ ગ્રહી ઘરબાર,
જોગો કરે ખત્રવટ જાતી
(તો) ભૂવણ શેષ ન ઝીલે ભાર. ૧૩