પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮
સોરઠી બહારવટીયા : ૨
 

પેલો ધીંગાણો પીપરડીજો કીયો
[૧]ઉતે રાણોજી [૨]સૂરોપૂરો થીયો-જાલમ૦

બીજો ધીંગાણો રણમેં કીયો
ઉતે જમૈયો [૩]પીયો રે રીયો–જાલમ૦

ત્રીજો રે ધીંગાણો ખડેમેં કીયો.
ઉતે આલો જમાદાર તર રે રીયો–જાલમ૦

ચેાથો ધીંગાણો માછરડે કીયો.
ઉતે હેબત લટૂંર સાયબ રીયો-જાલમ૦

હૈડાજી ધારણે બોલ્યા રે નથુનાથ
તોજો નામ બેલી મડદેમેં રીયો-જાલમ૦

બરડામાં રાણાનું અડવાણું ભાંગીને જ્યારે બહારવટીયા ભાગ્યા ત્યારે પોરબંદરની ફોજ લઈ નાગર જોદ્ધો ઘેલો બક્ષી વાંસે ચડેલો. વાર જ્યારે લગોલગ થઈ ત્યારે એજ મીયા માણેકે ઉભા રહી ઘેલા બક્ષીને પડકારેલ કે “ઘેલા બક્ષી ! આટલી વાર લાગશે. સંભાળ તારી કમરમાંની દેત."

કાગળ ચિઠ્ઠીઓ લખવા માટે ખડીયાનું કામ કરતી લાંબી દોતો અસલમાં ભેટની અંદર રખાતી મીયાની બંદુકે એક જ ભડાકે એ દોતને ઘેલા બક્ષીની કમરમાંથી ઉડાવી દીધી હતી. અને શત્રુના અંગને ઈજા થવા નહોતી આપી.

આવો જ બંદુક મારનાર જમાદાર શકર મકરાણી આ ટોળીમાં હતો. એક દિવસ એક હિંદુસ્તાની પુરબીઓ ઠાકોર બહારવટીયા ભેગો ભળવા માટે આવ્યો. એની પરીક્ષા કરવા માટે શકર જમાદાર પોતાની ભેટમાં બાંધેલ જમૈયા ઉપર લીંબુ ઠેરવી ઉભો રહ્યો અને પછી એણે ઠાકોરને કહ્યું “ગોળી મારો ઔર યે નીંબુ કો ઉડા દો.”


  1. ત્યાં
  2. લડાઈમાં મરે તેને 'સૂરોપૂરો
  3. પડ્યો