પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮
સોરઠી બહારવટીયા:૨
 


બંદુક લઈને ઝાડ ઉપર બેઠેલ ચાડીકાને પણ ઝોલાં આવવા લાગ્યાં. બંદુક પર ટેકો લઈને એ પણ જામી ગયો.

સીમમાં એક આદમી આંટા મારે છે. એણે આ સૂતેલા નરોને નિરખ્યા. ઓળખ્યા. બાજુમાં જ પોરબંદરની ફોજ પડી હતી તેને જઈ વાવડ દીધા.

ફોજનો દેકારો બેાલ્યો ત્યારે બહારવટીયા જાગ્યા. મુળુને મીઠું સ્વપ્નું ચાલતું હતું. જાણે ગાયકવાડી સૂબા બાપુ સખારામે એને બે હજાર કોરી આપી છે ને પોતે એ પૈસા ખરચી પરણવા ગયો છે: ફુલેકે ચડ્યો છે: રૂપાળી વાઘેરાણી જાણે રાતના છેલ્લે પહોરે એનું કપાળ પંપાળે છે.

એ મીઠું સોણું ભાંગી ગયું. જાગે ત્યાં સામે મોત ઉભું છે. બહારવટીઓ ઉઠ્યો. ગીસ્તની સન્મુખ પગલાં માંડ્યાં. ભેરૂઓએ હાકલ દીધી:

“મુળુભા ! આમ આભપરા દીમના.”

“ના ભાઈ, હવે તો રણછોડરાયજીના દીમના !”

બહારવટીઓ ફોજની સન્મુખ ચાલ્યો. વાર આંબે તે પહેલાં તો પાંચ જણાએ ગામ બહારના એક ઘરનો ઓથ લીધો. એ ઘર ઢેઢનું હતું.

વારમાંથી હાકલ પડી: “તલવાર નાખી દે, જીવવું હોય તો.”

જવાબમાં ખોરડામાંથી બહારવટીયો ગહેક્યો: ભેળા ચારે ભેરૂએ સૂર પૂરાવ્યા: શૂરવીરોએ જાણે પોતાના મોત વેળાની પ્રાર્થના ઉપાડી :

[૧]ના છડીયાં તલવાર અલ્લા લા બેલી !
મરણે જો હકડી વાર ! દેવોભા ચેતો
મુરૂભા વંકડા ! ના છડીયાં તલવાર.


  1. *કીનકેઈડ આના ભાષાન્તરમાં પણ બહુ છૂટ લે છે: એ લખે છે !
    Here is a quatrain that was supposed to have