પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨
સોરઠી બહારવટીયા : ૨
 
ઐતિહાસિક માહિતી

૧- વૉટસન કૃત 'કાઠીઆવાડ સર્વ સંગ્રહ' :પાનું ૧૧૬-૧૧૭ ૩૧૩-૩૧૮ : વૉટસનનું વર્ણન ઉપરછલ્લું અને અમલદારશાહીની એકપક્ષી દૃષ્ટિથી જ લખાએલું છે.

૨. 'એાખામંડળના વાઘેરોની માહિતી': રચનાર- દુ. જ. મંકેાડી તથા હ. જૂ. વ્યાસ, દ્વારકા; મૂળ રા. સા. ભગવાનલાલ સંપતરામે લખેલ ઈતિહાસ પરથી ઉતારેલું આ પુસ્તક ઈ. સ. ૧૮૯૫માં પ્રગટ થયેલું. એમાં સારી પેઠે, સમતોલ અને પ્રયત્નપૂર્વક એકઠી કરેલી માહિતી છે.

૩. મારા વૃત્તાંતમાં મહત્ત્વના પાત્ર રૂપે આવનાર રામજી શેઠના પૌત્ર રતનશી ભાઈ, કે જે આમાંની અમૂક ઘટનાઓના ખુદ સાક્ષી છે, તે હજુ બેટમાં હૈયાત છે. જોધા માણેકની મહાનુભાવતા એણે નજરોનજર દીઠી છે.

૪. આ નવી આવૃત્તિમાં ઝીણી મોટી જે ઘણી ઘણી હકીકતો ઉમેરી શકાઈ છે, તે લગભગ સાક્ષી રૂપે જીવતા માણસો પાસેથી મળેલી છે. તેઓનાં નામ આપી શકાય તેમ નથી.