આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૮
સોરઠી બહારવટીયા:૨
“હાય ખુદા ! કોઈ મરદ”
“હાય હાય ! આપના મું દેખેગા !”
“અબ કહાં જાય !
“યે કાંટેમેં "
“યે કૂવેમેં.”
બહારવટીઆ નજીક પહોંચ્યા ન પહોંચ્યા ત્યાં તો કૂવામાં ધબકારા સંભળાયા, અને પાંચ દસ બાઈઓને ઉંધે મ્હોંયેં કાંટાના ઝાળામાં પડતી દીઠી.
સડેડાડ પગ ઉપાડતા બે ભાઈ દૂર નીકળી ગયા.
જેસો બેાલ્યો “ભાઈ વેજા ! આ બીબડીયું ભાળી ? એનાં મલાજો ને કુળલાજ જોયાં ?”
“હા ભાઈ ! આના પેટમાં પાકેલાઓ જો હામી થાય, તો હડતાળું ન પાડે, પણ માથાં આપે. અસલ પઠાણોનું લોહી તે આનું નામ. મલીદા સાટુ વટલેલાની વાત હું નથી કરતો.”
“ત્યારે પાદશાહની ફોજમાં પણ અસલ લોહીના પઠાણો રહે છે ખરા. બધા ય બાંડાઓ નથી લાગતા. ”
"શેઠીઆવ ! તમારી અમારે માથે મોટી મહેરબાની થઈ. પણ પાદશાને જઈને કે'જો કે માજનના હામીપણા માથે તો અમે નહિ આવીએ.”