આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રામવાળેા
૧૫૩
આ બન્ને રાસડાએાની પછીની ટુંકો મળતી નથી. તે સિવાય રામવાળાના
અરધા અત્યુક્તિ ભરેલા ને અરધા પ્રાસંગિક દોહાઓ કોઈક
રાણીંગ રાવળ નામના વહીવંચાએ આ મુજબ રચેલા છે:
ધાનાણીએ ધબીઆ બાપ ને બેટો બે,
તુંને નડતા તે તળમાં રાખ્યા રામડા!
- [હે રામ ધાનાણી ! તને સંતાપનાર બાપ અને દીકરા બન્નેને,એટલે કે ડોસા પટેલને તથા એના પુત્રને તેની તલવારે ધબેડી નાખ્યા.]
ધારી અમરેલી ધ્રૂજે, થર થર ખાંભા થાય,
દ૨વાજા દેવાય રોંઢે દિ'એ રામડા !
- [હે રામવાળા ! તારા ભયથી તો ધારી, અમરેલી અને ખાંભા જેવડા ગાયકવાડના શહેરો ધ્રુજે છે, અને એ શહેરોના કોટના દરવાજા સાંજ પડ્યા પહેલાં તો તારી બ્હીકે બંધ થઈ જાય છે.]
ચાચઇને ડુંગર ચડી હાકલ દેછ હિન્દવાણ !
(ત્યાં તેા) ખેપટ જાય, ખુરસાણ કાળપૂછાં બીયાં કાળાઉત !
- [ હે હિન્દુ ! હે કાળા વાળાના સુત ! ચાચઇ નામના ગિરના ડુંગર પર ચડીને તું જ્યાં ત્રાડ પાડે છે. ત્યાં તો કાળી દાઢીઓ વાળા ખોરાસાનીએા (મુસલમાનેા) વંટોળીએ ઉડતી ધૂળની માફક ન્હાસી જાય છે.]
પત્રક જે ૫વાડા તણા વડોદરે વંચાય,
મરેઠીયું મોલુંમાંય રૂદન માંડે રામડા !
- [તારી લડાઈના પત્રો વડોદરામાં પહોંચીને ત્યાં વંચાય છે, ત્યાં તો તેં મારી નાખેલા મરાઠા નોકરીઆતોની સ્ત્રીઓ રૂદન આદરે છે.]
કાબા, કોડીનારથી માણેક લઈ ગયા માલ,
(એવા) હડમડીઆના હાલ કરિયા રામા કાળાઉત !
- [જેવી રીતે માણેક શાખના વાઘેર (કાબા) બહારવટીયા કોડીનાર ભાંગીને માલ લઈ ગએલા તેવી જ રીતે તેં હડમડીઆને બેહાલ કર્યું.]
વાટકી જેવડી વાવડી, રાવણ જેવો રામ,
ગાયકવાડનાં ગામ રફલે ધબે રામડો !