પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨

મૂળવે અંગ્રેજ મારીઆ, (એના) કાગળ પૂગા કાંચી,
અંતરમાં મઢ્યમ ઉદરકે, સૈયરૂં વાત સાચી ?

તારી જે પાછું તણા, વલ્યાતે કાગળ વંચાય,
(ત્યાં તો) મઢ્યું બંગલા માંય વાળે મોઢાં વાલીયા !

આ રીતે અંગ્રેજોની સત્તા સામે તેઓએ કશા પ્રભાવથી અંજાયા વગર મુકાબલો કરી દેખાડ્યો હતો. ગોરાને એણે કદિ પોતાનાથી ઉંચેરો, જોરાવર અથવા સાર્વભૌમ ગણ્યો નથી. ગોરાની ખોટી પ્રતિષ્ઠા લોકોના માનસ પર ન ઠસવા દેવામાં આ ઘટનાઓનો હિસ્સો છે.

શા માટે તેઓએ અંગ્રેજ સત્તા તરફ આટલી ઘૃણા પ્રદર્શિત કરી ? અંગ્રેજ સત્તા આહી બેસીને કાયદા અને વ્યવસ્થાનું સુદૃઢ શાસન ચલાવશે તો પોતાનું ગેરકાયદેસર સ્વચ્છંદી જીવન રૂંધાઇ જશે તે બ્હીકે ? કે અંગ્રેજ રાજસત્તા સૌરાષ્ટ્રના હિતને હાનિ પહોંચાડી કબજે કરી બેસશે તે ભયથી?

ઇતિહાસ વાગતાં આ૫ણને બે તારણો સૂઝે છે : ૧. અંગ્રેજો આવી મધ્યસ્થ સત્તા બની ન્યાય અપાવવા નહોતા આવ્યા, પણ ગાયકવાડ, ભાવનગર વગેરે મોટા રાજાની મદદે આવી એણે પોતાના સૈન્યબળ વડે નાના જમીનદારોને જેર કર્યા હતા. એ લોક–માન્યતા : દૃષ્ટાંત રૂપે જોગીદાસ ખુમાણ.

ર. ઇ. ઈં. કં. નો નિંદ્ય કારોબાર આખા હિન્દમા સુપ્રસિદ્ધ હતો. બહારના તીર્થયાત્રીઓ સૌરાષ્ટ્ર ઉતરી એની વાતો ફેલાવતા.

એ તિરસ્કાર અને તુચ્છકારથી જ પ્રેરાઈને વાઘેરોએ અંગ્રેજોને 'ચીંથડેજા પગેવારા : ચીંથરાના પગવાળા' કહ્યા હતા. અને વાઘેરોની પાસેથી મૂળ એના ઓખામંડળ આંચકી લેવામા મરાઠાઓને મદદ કરનાર પણ અંગ્રેજો જ હતા. એ વાતનો દંશ વાઘેરોને જેવો તેવો નહોતો.[૧]


  1. ** કીનકેઇડ : Outlaws of Kathiawar : પાનું ૩૫
    "He (Jodha manik) came, as his name indicates, from the Manik Stock that at one time ruled, Dwarka and Okha Mandal, before the Mahrattas, with British assistance, established themselves the rein”