આને માટે કીનકૅઈડ કહે છે : “... is written in gay jingling
metre, and affords relief after the somewhat wearisome
quatrains of the Kathi bards.”
એટલે કે આ કાફીઓ એકતાનતાનો કંટાળો તોડે છે, અને રણગીતની અસર બેવડી વધારે છે. વળી માત્ર પ્રશસ્તિથી જ ન અટકતાં કાફીના કવિઓએ તે અક્કેક કડીમાં અક્કેક ઘટના મૂકી છે : કોડીનાર ભાંગ્યાની ઠીક ઠીક કથા એ ગીતમાં વર્ણવી દીધી છે. [સેા. બ. ૨ : પા. ૧૪૪] વાઘેરોની બીજી ત્રણે મશહૂર કાફીઓ પણ એજ બંધારણને અનુસરે છે :
ના રે છડિયાં હથીઆર અલા લા !
પાંજે મરણુંજો હકડી વાર, દેવોભા ચેતો,
મુરૂભા વંકડા ! ના છડિયાં હથીઆર !
આ છે Burden of the song : ગીતનો ટેક : માછરડાની ધાર પરના મશહૂર ધીંગાણામાં દેવાની દૃઢતા ને હથીઆર છોડવા કરતાં મરી ફીટવાની તત્પરતા બતાવતું, રણવાદ્યની માફક રોમાંચ ખડાં કરતું આ ગીત એ એક ઘટનાને આધારે વાધેરોના બીજા જાણીતાં ધીંગાણાની પણ ટીપ નોંધે છે. જુઓ : [સો. બ. ૨ : પા. ૧૮૬ ]
પેલો ધીંગાણો પીપરડી જો કીયો ઉ તે
કિને ન ખાધી માર દેવોભા ચેતે,
મુરૂભા વંકડા ! ના છડિયાં તલવાર
પરંતુ રણગીતની રોમાંચક અસર છાંટનારી, ધીરવીરનું જીવન્ત સ્વરૂપ આલેખનારી અને શબ્દ-રચનાની શ્રેષ્ઠ રુચિ બતાવનારી કાફી તો છે જોધા વિષેની : જોધો કેવે રુપે બહારવટે ચડ્યો? [સો. બ. ૨ પા. ૧૩૩]
મનડો મોલાસેં લગાયો
જોધો માણેક રૂપમેં આયો.
કેસર કપડાં અલા ! લા ! માણેકે રંગીઆં ને
તરવારેસેં રમાયો-જોધો૦
જોધા માણેકજી ચડી અસવારી લા ! લા
સતીયેંકે સીસ નમાયો - જોધો૦
ઉપલા બન્ને પ્રકારોમાં કાવ્યત્વ એાછું : રસાલંકાર નજીવો : શબ્દો છેક જ સાદા : શબ્દ-રચના શિથિલ : એની કર્કશતા ઘસીને