પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭

બહારવટીઆની અકળામણ વધતી, ખુન્નસ વધુ તપતું, ઘાતકી મનસૂબા ઉ૫ડતા.

૯. શત્રુ પ્રત્યેની દાઝ જેમ વખતોવખત ક્ષમા અને ખેલાડી- નીતિની કક્ષાએ ચડી વંદનીય બનતી. તેમ કોઈ વખત કિન્નાનું સ્વરૂપ ધરી ભીમાજતની માફક, એક જ સંધીની દગલબાજીનો બદલો લેવા આખી સંધી કોમની કતલનું કરુણાજનક સ્વરૂપ ધરતી. એ બલિષ્ટ માનવીનું આ બધું વિલક્ષણ અને વ્યક્તિગત સારૂંમાઠું માનસ હતું.

૧૦. વેપારીના ચોપડાઓને આગ લગાડવામાં રહેલી એની વિવેક- ભૂલી દાઝની પાછળ ગામડાંના વેપારી સમૂદાયની મૂડીદાર-નીતિ ઉભી હતી. ગામડાંનો વેપારી કેવળ 'બમણાં ત્રમણાં નાણા' કરીને જ જીવતો. અજ્ઞાન અને ભોળી ગ્રામ્ય કોમોને બુદ્ધીની જળો મૂકી એ ચૂસી લેતો. ઘણી વાર રાજસત્તાની સાથે લાંચરુશવતથી લાગવગ લગાડી વિચિત્ર સંજોગોમાં ગરાસીઆ ઉપર જપ્તી લાવતો. આજ પણ ખેડુ તથા ગીરાસીઆની બરબાદીની તવારીખમાં મોટો કુ–યશ વેપારીને નામ જમા થાય છે. એ આખો ઇતિહાસ અત્યંત ત્રાસજનક છે. એ કુટિલતાની સામે કણબી ખેડુનું ઠંડુ લોહી ઉકળી શકતું નહિ, જ્યારે લડાયક સંસ્કાકારવાળા ગરાસીઆની અડબૂત આખો વિફરીને આ રીતે વૈર વાળતી : “લાવો ચોપડા બાળી દઇએ, એટલે બિચારા કૈંકને સુખ થઈ જાય !” એ એનું બથ્થડ સૂત્ર હતું.

૧૧. પરંતુ જ્યાં પ્રબલ અને પ્રમત્ત ઊર્મિઓનાં ધમસાણ બોલતાં, જ્યાં વીરત્વનું સ્વરૂપ રૌદ્ર બની જતું. જ્યાં જીંદગીને બાજીમાં હારી જવાનો તોતાર જાગતો, જ્યાં વેદનાના પછાડા ચાલતા, ત્યાં પ્રત્યેક પગલે જૈન વીતરાગના જેવી અહિંસાની દૃષ્ટિ જાળવવી અશક્ય હતી, ત્યાં, ખાસ કરીને મારફાડના યુગમાં, પ્રત્યેક માનવ-જીવનનું મૂલ્ય અાંકવા બેસવું અસંભવિત હતું. પગલે પગલે જો આ પુરુષો આવી કોઈ અસાધારણ વિવેકબુદ્ધિ વાપરીને જ ચાલ્યા હોત, તો આપણે એને પરિપૂર્ણ વીરત્વના આદર્શ પદે સ્થાપી શકત, પરંતુ આદર્શ વીરત્વ, પરિપૂર્ણ અને પરિશુદ્ધ વીરત્વ તો આપણે નત્ય જેને રટીએ છીએ તે રામાયણ મહાભારતમા ય મળવાં દુષ્કર છે, માટે જ આપણે બધી પરિમિતતા લક્ષ્યમાં લઈ એટલું જ ઉચ્ચારી શકીએ કે તેઓ-બહારવટીઆઓ બહાદુર હતા; પણ “Heroes in making ” હતા.

Heroes in making : હા, શિવાજીને રામદાસ ગુરુ ને જીજાબાઈ માતા મળ્યાં, માટે એ રાજા બન્યો, શાસક બન્યો, જોગીદાસને રામ