પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કનડાને રીસામણે
 

તો હજી કનડે જીવતી છે, ઇ મરે નહિ ભાઈ ! ઈ તો દેવભોમની ૫દ્મણી હતી. તે દિવસ કચ્છમાં ઓઢે એનું નામ છતરાયું કર્યું, તેથી

ચિઠીયું લખિયું ચાર, હોથલજે હથડે
ઓઢા ! વાંચ નિહાર, અસાંજો નેડો એતરો !

એમ છેલ્લા રામ રામની ચિઠ્ઠી ઓઢા માથે લખીને હોથલ પદમણી પાછી આંહી કનડે આવેલી, પણ પછી તે

ભૂંડું લાગે ભોંયરૂં, ખાવા ધાતી ખાટ
ઓઢા વણનું એકલું કનડે કેમ રેવાય !

આંહી કનડામાં એનો જીવ જંપતો નહોતેા. તલખતી, તલખતી, પાણી બહાર મીન તલખે તેમ તલખતી હોથલ આંહીં જ વસી છે. એકલી ને અટૂલી આંહી જ દિવસ વીતાવે છે. આયખાના તો અમરપટા લખ્યા છે એટલે મરાતું નથી. ઝૂરતી હશે કો'ક ભેાંયરાની અંદર.”[૧]

એવી એવી વાતો કરીને આથમતે પહોરે, અંધારાં ઉત્તરવાની વેળાએ, ગોવાળે ને કબાડીઓ કનડેથી નીચા ઉતરે છે: ને, જાણે પોતાના મરેલા બેટા કે બાંધવની ખાંબી ઉપર સીંદૂર ચડાવી રહી હોય તેવી અબોલ, ઉદાસ, અંધકાર રૂપી કાળી કામળી ઓઢેલી કોઈ વિજોગણ મા-બ્હેન સમાણી સંધ્યા પણ કનડે ઉતરી પડે છે.

વી એક સાંજને ટાણે દક્ષિણ દિશાએથી બે ઘોડેસવાર ડુંગરા ઉપર ચડ્યા આવે છે. ડુંગરાના પેટાળે પેટાળે પડેલી લાંબી કેડીએથી બેય ઘોડાં ઠેઠ ટોચ ઉપર પહોંચે છે. ડુંગરા


  1. * *જુઓ 'હોથલ'ની સાંગોપાંગ દોહાવાળી સંપૂર્ણ કથા : રસધાર -ધારા ચોથી.