પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિવેદન : બીજી આવૃત્તિ

આ પુસ્તકનો ઉઠાવ ત્વરાભેર થયો છે; અને એના પ્રવેશકમાં 'પરચાઓ'ની ભ્રમણા ટાળવા માટે લેવાએલી મહેનત ફળી છે. પરચાના જૂઠા મહિમા અને પરચાને નામે ચાલતા ઢોંગ પરત્વે આટલું સ્પષ્ટ લખાણ થવાથી વાચકોએ પુસ્તકને સવિશેષ લાગણીથી વધાવ્યું છે. એ બદલ અમે આભારી છીએ. વાચકોને પુનઃ પણ એ જ વિનતિ છે કે સંતો મહંતો પ્રત્યેનું લોક-વલણ બુદ્ધિયુક્ત અને વિશુદ્ધ બનાવવાના પ્રયત્નો ચાલુ રાખજો. અંધશ્રદ્ધાએ આપણો દાટ વાળી દીધો છે.

પૂસ્તકનાં પાનાં વધવાને પરિણામે તેમજ બીજા કારણે મૂલ્યમાં વધારો કરવામાં આવ્યો છે.

વૈશાખી પૂર્ણિમા: ૧૯૮૫
પ્રકાશક