પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
સોરઠી સંતો
 


બેઠલ [૧]બોરીયામાં આવી
ગરનારી ! બેઠલ બોરીયામાં આવી.
આપે તે રૂપ જાણી રોઝનું લીધું,
રામડાની બંદૂક ભંગાણી – ગરનારી૦
શાદૂળા સિંહને તમે વશ રે કીધો
ઉપર વાળી અસવારી – ગરનારી૦
[૨]ધુંધળીમલે ધંધ જગાડ્યો ધણી
પાટણ નાખ્યાં રે પલટાવી – ગરનારી૦
ભવેશ્વ૨માં દાતણ વાવ્યાં ગુરુ
શોભા વાવેલ બહુ સારી – ગરનારી૦
ભેરવ જ૫ હેઠે આપ બીરાજેલ
સોનમેં સમાતું બંધાવી – ગરનારી૦
વેલનાથ ચરણે બોલ્યા રામૈયો ધણી
શિખરૂંમાં સૂ૨તા ઠેરાણી – ગરનારી૦

રામને સૂઝી ગયું કે આ ગુરૂ કોઇ અસલી સમયના ગેબી સિદ્ધ છેઃ રોગીના રોગ ટાળે છે. પોતાના સાત વીરડામાં ગુપ્ત ગંગા વહાવે છે. ને કશા નૈવેદ્યના કામી નથી; કેવળ ભાવના જ ભોગી છે:

આ તો છે આગુનો ગેબી, એ જૂનો છે જોગી.
એ બાવા ! આબુ રે શિખરનું બેસણું
સધ ચોરાસીમાં વાસ,

  1. 'બોરીયો' નામે ગિરનારનો ગાળો છે.
  2. પ્રેહપાટણ (ઢાંક) ને 'પટ્ટણ સો દટ્ટણ' કરનાર મનાતા કોળી સંત ધુંધળીનાથના અવતાર તરીકે વેલો મનાય છે.