પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેલો બાવો
૯૧
 


ખાખીઓએ જઇને ધમકી માંડી : તું વેલનાથ ? તું ઓરનો ભોગવનારો નવ નાથની કોટિએ પહોંચી ગયો ? તું તો દુનિયાને છેતરી રહ્યો છે.”

“અરે ભાઇ !” વેલો બેાલ્યો. “હું કાંઇ નથી જાણતો. હું તો નાથે ય નથી, નાથના પગની રજમાત્ર પણ નથી. હું મારાથી થાય તેવી પ્રભુની ટેલ કરૂં છું. મને શીદ સંતાપો છો ?”

“નહિ, તું ઢોંગી છે, ચાલ તને ગુરૂ દત્ત બોલાવે છે.”

વેલો ચાલ્યો. પાછળ એાછાયા શી બે અર્ધાંગનાઓ પણ ચાલી. ખાખીઓ વેલાને ચીપીઆ ચોડતા આવે છે. બન્ને સ્ત્રીઓ આડા દેહ દેતી આવે છે.

કહેવાય છે કે ગિરનાર–દરવાજે એક વાણીઆના જુવાન પુત્રનું શબ નીકળ્યું. વેલા બાવાએ એના ખોળીઆમાં જીવ પાછા આણ્યો. અને પછી પોતાને વસ્તી સંતાપી સંતાપી તપસ્વી – જીવનમાં ભંગ પાડશે એમ બ્હીક લાગવાથી બાવાજી ભાગી નીકળ્યા. આગળ પાતે, પાછળ બન્ને સ્ત્રીએા, ચીપીઆવાળા ખાખી બાવાએા અને ડાઘુ વાણીયાનું ટોળું : એમ દોટાદોટ થઇ રહી. જગત પોતાને આમ સદાય સંતાપ્યા કરે એ કરતાં જમીનમાં સમાઇ જવાનું જોગીએ પસંદ કર્યું. દોડીને એણે ગિરનારનાં શિખરની દિશા સાંધી. ભેરવ–જપના ઉંચા અને ભયંકર ટુંક પાસે એને માટે ધરતી માતાએ મારગ કર્યો. પોતે એમાં જીવતા સમાણા. પાછળ મીણલ મા પણ ઉતરી ગયાં. ત્યાં શિલાનું ઢાંકણુ દેવાઇ ગયું. બહાર જસો મા એકલાં જરા છેટાં રહી ગયાં. પોતાના નાથને ગોતવા લાગ્યાં :

“બાવાજી ! ક્યાં છો ! ક્યાં સંતાણા !”

એવા પોકાર કર્યો. ત્યાં તો શિલાની ચીરાડમાંથી બહાર રહી ગયેલો મીણલમાની ચુંદડીનો છેડો એણે દીઠો. શિલા ઉપર બેસીને એણે કલ્પાંતનું ભજન આદર્યું :