પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
સોરઠી સંતો
 


એાળખજો રે કોઈ એાળખાવજો !
બાળા જોગીને કોઈ બોલાવજો !
આ કળજુગની દોરી વેલે લીધી હાથ
દોરીમાં બોલે દીનોનાથ,
મેરૂ શિખર ને ગગન ધામ
તીયાં વસે છે વેલૈયો નાથ.
દીઠી કરી અણદીઠી નવ થાય
ઈ રે કાયાનો ગઢ કેમ લેવાય !
અવળી ગુલાંટે જે નર જાય
ઈ કાયાને ગઢ એમ જીતાય.
પેલા તે સોટે પૂગ્યા રામ
જ્યાં હતા ધણીના વિશરામ.
ધરમધણી બાવે સાખીઆ પૂર્યા
તે દિ' વેલૈયો ચતરાયા થીયા.
વેલાને ચરણે બેાલ્યા રામ
તમારી સરીખાં મારે કામ,

ગિરનારી વેલાના ઉતારા કોઇ 'સમદર બેટ'માં હોવાનું રામૈયે ગાયું. કયો એ બેટ, તેની ખબર પડતી નથી. પણ રામૈયા મસ્તીએ ચડ્યા, એની સન્મુખ ગુરૂજીનું સુંદર તપસ્વી સ્વરૂપ રમવા લાગ્યું: