આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
સોરઠી સંતો
- એાળખજો રે કોઈ એાળખાવજો !
- બાળા જોગીને કોઈ બોલાવજો !
- એાળખજો રે કોઈ એાળખાવજો !
- આ કળજુગની દોરી વેલે લીધી હાથ
- દોરીમાં બોલે દીનોનાથ,
- આ કળજુગની દોરી વેલે લીધી હાથ
- મેરૂ શિખર ને ગગન ધામ
- તીયાં વસે છે વેલૈયો નાથ.
- મેરૂ શિખર ને ગગન ધામ
- દીઠી કરી અણદીઠી નવ થાય
- ઈ રે કાયાનો ગઢ કેમ લેવાય !
- દીઠી કરી અણદીઠી નવ થાય
- અવળી ગુલાંટે જે નર જાય
- ઈ કાયાને ગઢ એમ જીતાય.
- અવળી ગુલાંટે જે નર જાય
- પેલા તે સોટે પૂગ્યા રામ
- જ્યાં હતા ધણીના વિશરામ.
- પેલા તે સોટે પૂગ્યા રામ
- ધરમધણી બાવે સાખીઆ પૂર્યા
- તે દિ' વેલૈયો ચતરાયા થીયા.
- ધરમધણી બાવે સાખીઆ પૂર્યા
- વેલાને ચરણે બેાલ્યા રામ
- તમારી સરીખાં મારે કામ,
- વેલાને ચરણે બેાલ્યા રામ
ગિરનારી વેલાના ઉતારા કોઇ 'સમદર બેટ'માં હોવાનું રામૈયે ગાયું. કયો એ બેટ, તેની ખબર પડતી નથી. પણ રામૈયા મસ્તીએ ચડ્યા, એની સન્મુખ ગુરૂજીનું સુંદર તપસ્વી સ્વરૂપ રમવા લાગ્યું: