આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
સોરઠી સંતો
- વેલાનો ચેલો રામ બોલીયા રે
- બાળુડા ! વેલાનો ચેલો રામ બોલીયા રે
- આવ્યા શરણે ઉગાર રે - જૂનાણું૦
આ પ્રભાતીયું નારણ માંડળીઆ નામના કોઈ કણબીએ રચ્યું છે:
- જાગોને ગરવાના રે રાજા !
- જાગોને ગરનારી રાજા !
- તમ જાગે પરભાત ભયા.
- દામે રે કંડ ગરૂ ! વાડી તમારી
- ટાઢાં રે જળ એ કરિયાં:
- દામા કંડમાં નાવાં ધોવાં
- પંડનાં પ્રાછત દૂર થીયાં - જાગોને૦
- ભવનાથજીમાં મેળો ભરાણો
- કુળ તેત્રીસ દેવ જોવા મળ્યા;
- ભવનાથજીમાં રે ભજન કરતાં
- લખ ચોરાશીના ફેરા ટળ્યા - જાગેાને૦
- ભવનાથજીમાં મેળો ભરાણો
- ઉંચું રે દેવળ માતા અંબાનું કહીએ
- નીચા વાઘેશરીના મોલ રે;
- વેદીઆ નર ત્યાં વેદ જ વાંચે
- મુનિવર તારૂં ધ્યાન ધરે – જાગોને૦
- ઉંચું રે દેવળ માતા અંબાનું કહીએ
- તાલ પખાજ વેલા ! જંતર વાગે
- ઝાલરીએ ઝણકાર ભયો;
- વેલનાથ ચરણે ગાય નારણ માંડળીઓ
- શરણે આવીને તમારે રીયો – જાગોને૦
- તાલ પખાજ વેલા ! જંતર વાગે