પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
સોરઠી સંતો
 


વેલાનો ચેલો રામ બોલીયા રે
બાળુડા ! વેલાનો ચેલો રામ બોલીયા રે
આવ્યા શરણે ઉગાર રે - જૂનાણું૦

આ પ્રભાતીયું નારણ માંડળીઆ નામના કોઈ કણબીએ રચ્યું છે:

જાગોને ગરવાના રે રાજા !
જાગોને ગરનારી રાજા !
તમ જાગે પરભાત ભયા.
દામે રે કંડ ગરૂ ! વાડી તમારી
ટાઢાં રે જળ એ કરિયાં:
દામા કંડમાં નાવાં ધોવાં
પંડનાં પ્રાછત દૂર થીયાં - જાગોને૦
ભવનાથજીમાં મેળો ભરાણો
કુળ તેત્રીસ દેવ જોવા મળ્યા;
ભવનાથજીમાં રે ભજન કરતાં
લખ ચોરાશીના ફેરા ટળ્યા - જાગેાને૦
ઉંચું રે દેવળ માતા અંબાનું કહીએ
નીચા વાઘેશરીના મોલ રે;
વેદીઆ નર ત્યાં વેદ જ વાંચે
મુનિવર તારૂં ધ્યાન ધરે – જાગોને૦
તાલ પખાજ વેલા ! જંતર વાગે
ઝાલરીએ ઝણકાર ભયો;
વેલનાથ ચરણે ગાય નારણ માંડળીઓ
શરણે આવીને તમારે રીયો – જાગોને૦