પૃષ્ઠ:Sorathi Santo.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વેલો બાવો
૧૦૯
 


મૈયારી ગામના ગરાસીઆ રાણીંગ મેર પણ વેલાના દાસ બન્યા. એણે ભજન આદર્યા :

રાણીંગદાસ સરભંગી સાબના ચેલા.
રાણીંગદાસ ગિરનારી સાબના ચેલા.
મેલી મયારી ને મેલી રે મમતા
હુવા ગરાસીઆ ઘેલા - રાણીંગદાસ૦
ગરવેથી ગેબી જોર બજાવે ને
પાયા પિયાલા લઈ પૂરા - રાણીંગદાસ૦
પીયા પિયાલા મગન ભયા મન
છૂટી સેનામાં ગજ ગેલા - રાણીંગદાસ૦
શબદે મારે ને શબદે જીવાડે ધણી
શબદ સૂકાને કરે લીલા - રાણીંગદાસ૦
વેલનાથ ચરણે બોલ્યા રાણીંગદાસ
માતા મીણાં ને પિતા વેલા - રાણીંગદાસ૦

ભૈરવ–જપના શિખરની નજીક સાત વીરડા છે. એ વીરડા વેલા બાવાના કહેવાય છે. દર વર્ષે મહા શિવરાત્રિના મેળા વખતે એક વેલા બાવાના વંશ માંહેલો માણસ ને એક સેંજળીઆ કણબીનો કુટુંબી એ વીરડા પર જાય છે. પાંદડાનો કુચો વાળી ચોળી વીરડા સાફ કરે છે. લોબાનનો ધૂપ પેટાવે છે. પછી એકતારાના સૂર સાથે આરાધ ઉપાડે છે કે:

આવો તો આનંદ થાય
નાવો તો પત જાય રે :
ગરવા વાળા નાથ વેલા !
આ રે અવસર આવજો !