પૃષ્ઠ:Sorathi Santo.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
સોરઠી સંતો
 


ભગત ગાતા ગાતા વાસણ ઉતારે છે, અને વહુ-દીકરીઓ વાસણ સૂકવે છે, એવે ટાણે દીકરીએ ખડકીના બારણા ઉપર મીટ માંડીને કહ્યું “ આતા, કો'ક તરડમાંથી છાનુંમુનું ડોકાતું લાગે છે !"

ચાર-ફેરણી લઇને મેપો ઉભો થયેા. ભજનના સૂર ભાંગી પડ્યા. ધુંધવાતે હૃદયે ખડકી ઉઘાડી. જુએ તો જાદરો.

કાંઇ પણ બેાલ્યા ચાલ્યા વિનાં, ચાકફેરણી ઉગામીને ભગત ઉતરી પડ્યા. ફડ ! ફડ ! ફડ ! એવા ત્રણ સેાટા જાદરાની પહોળી પીઠ ઉપર ખેંચી કાઢ્યા. અને ત્રાડ દીધી “ચોલટા !”

કુંભારના હાથના ત્રણ સોટા પડતાં જાદરો બેવડ વળી ગયો. પણ મ્હોંની એક રેખા યે ન બદલવા દીધી. જેવો હસતો હતો તેવો જ હસતો રહ્યો.

“જાછ કે નહિ ?” ફરી ત્રાડ પડી.

“નહિ જાઉં ! હવે તો નહિ જ જાઉં !"

એટલું કહીને ગળગળે કંઠે જાદરાએ પગમાં પડી, ભગતના ગારાવાળા ચરણો ઝાલી લીધા. પગ ચાંપવા માંડ્યો.

ભગત ટાઢાબોળ થઇ ગયા, જાણે ચંદનનો લેપ થઇ રહ્યો હોય ને, એવું કાંઇક પગમાં થવા લાગ્યું. ભગતે જાદરાનું લલાટ વાંચી લીધું:

“બાપ જાદરા ! સીધ્યો ?”

“તમારી દયાથી !”

“બાપ નાના બાલુડાને તેડે તેમ ભગતે જાદરાને છાતીએ લઇ લીધો અને માથે પોતાનો હાથ મેલ્યો. એની પીઠ પર પોતાનો પજો નીમજ્યો, ત્યાં તે જાદરાની સૂરતા જગતભરમાં રમવા માંડી. એનો માયલો મરી ગયો.