જાળીડા ! નાખને જાળ, નસીબની' નોંધી કરી
કરમ છે કપાળ, (કે) બૉતેરસેં બરડે રીયા? [હે ભાઈ માછી ! એક વાર મારા તકદીરનીં ઠરવીને તું જાળ નાખ તોજઉ ર ઝી કે મારાં ભાગ્ય મારા કપાળમાં જ છે; કે ક તકદીર પણ બહોંતરેસો ગામના 1 વપ્ન જ રહ્યું ? - અથિ જો પોતાના નામે જાળમાં માછલું આવે તો પોતે સમજી શકે કે મા પરદેશમાં ફળશે.) 1 કિસ્મત માછીમારે હલામણના નામ પર જાળ નાખી. બહાર કાઢતાં અંદર મો, તીડાં
આવ્યાં. હલામણે ફરી વાર કહ્યું:
જાળીડા, નાખને જાળ ! તારા નમતની નોંધીને, (આવ્યાં) શંખલાં ને શેવાળ, માછલીયું ટોળે વળા.
ને ર્ત્નો
[59] માછીમારે જાળ નાખી. બહાર કાઢી. અંદર કેવળ શંખલાં ને શેવાળ જુ આશા એ જોઈ હલામણ બોલ્યોઃ " આજુકો સાગર ઊમટ્યો, રતન રેલાણાં જાય, કરમહીણોઃ કર વાવરે, શંખલે મૂઠ ભરાય. [60 [આ સાગરમાં રત્નો રેલાય જાય છે, પરંતુ એમાં કિસ્મત વગર હાથ નાખવાથી મૂ્ઠીમાં માત્ર શંખલાં જ આવે છે, રત્ન નથી આવતાં.] ચાલતાં ચાલતાં એને અંતરે કેટલાં દુઃખ થયાં ? જેતી વેળુ વોંકળે, કણ જેતા કોઠાર, એતાં દુઃખ દદાર, હૈયે લાગ્યાં હલામણા ! [61] [નદીમાં જેટલી રેતીની કણીઓ હોવ, કઠોરમાં જેટલા દાણાના કણ હોય એટલાં દુઃખો હલામણને હૈયે લાગ્યાં.] ચાલતાં ચાલતાં બરડાને સીમાડે સમુદ્રતીરના મિયાણી ગામે આવ્યોઃ
1 પાઠાન્તર : “મારા નસીબની નોંધીને' અથવા 'મીઠા મેરામણ મધ.
- પાઠાન્તરે : 'કરમહીણા ભરે ખોબલા, સંખલે મૂઠી ભરાય.'
ઇઉૃહહાજદોહન' ભાગ 'માં 'ઓખાહરણ'માં 'સામેરીના દુહા' છે, તેમાં પાઠ આવે છેઃ સામેરી સાયર ઊમટ્યો, રતન તણાણાં જાય, કરમહીણો ભરે મૂઠડી, શંખલે હાથ ભરાય.]
426 લોકગીત સંચય