પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન થાવલિ, ને જોકે એમાં હજુ ઉમૈરી શકાય એવાં કેટલાંક પદ વગેરે નડીઆદમાંથી એકવાર પ્રસિદ્ધ થતા “ અપ્રસિદ્ધ ગુજરાતી પુસ્તક ” નામના ચોપાનીઆમાં જોવામાં આવે છે, તો પણ આ આવૃત્તિમાં જે પ્રયાસ કર્યો છે તે સારો છે. શતશાઈ અને તેની ટીકા આમાં નવીન છે, માંથી તેના હિંદી ભાષાના જ્ઞાન વિષે બહુ અનુલ અભિપ્રાય બંધાતા નથી, તેમ એના તર્કની કિલષ્ટતા ઉપર ઘણીવાર અભાવેજ પેદા થાય છે, એટલે એ ઉમેરેશન કર્યો હોત તો પણ ચાલત. | એકંદરે ગ્રંથને છાપવામાં ધ્યાન રાખેલું જણાય છે, ને બનતાસૂધી દોષથી દૂર રહી શકાયું છે, તથાપિ જે ઉતાવળ અને આતુરતાથી ગુજરાતી પ્રેસ આજકાલ પોતાની સામાજિક આ9. ત્તિઓ બહાર પાડ્યાં જાય છે તેજ ઉતાવળ અને આતુરતાનો અંગભૂત જે દેષ છે તે અંગે પણ નજરે પડ્યા વિના રહેતા નથી. ધણુ કવિનાં કાવ્યનો એક જથે પ્રસિદ્ધ કરવામાં જેટલી દેથી દૂર રહેવાની જરૂર છે, તે કરતાં તેમ કરવાની વધારે જરૂર એકાદ કવિનાંજ સર્વ કાવ્ય છપાવવામાં સમજાય છે. અશુદ્ધતાથી કરીને કવિને ગેરઇનસાફ થાય છે એટલું જ નહિ પણ વાચકને વગર કારણે અનેક પ્રકારની વિટંબના પડે છે. ગુજરાતી પ્રેસની સામાજિક આવૃત્તિઓ જે સમાજને માટે કરેલી છે તે તે સમાજને વધારે અજવાળું” આપી કાવ્યર્થ સ્પષ્ટ કરી કવિને પ્રિય કરવાને બદલે એથી જુદુજ કાંઈ સાધે તેવી છે. આ આવૃત્તિમાંજ જોઇએ તો પ્રેમ પરીક્ષાના ગરખામાં “ મૃગે સ કર ખાધી ” એમ છાયું છે, જયાં “ મુગે સાકર ખાધી ” એમ જોઈએ, પણુ વખતે એમ સમજાયું હશે કે જેમ ગધેડાને સાકર નડી બેસે છે એ લેક પ્રવાદ છે તેમ મૃગને માટે પણ હશે, ને તેથી તેને તે સદતી નહી હોય; તેમ કાઈ તેવાને પ્રેમ પણ ન સદે પણ આ તો કદાપિ છાપનારને દોષ હશે, પણ પાને ૨૧૭ મે જે ૭૧ મી ગરબી છે તેમાંના પાઠ સરખાવી જોવાનું જે અમને અપ્રસિદ્ધ ગુજરાતી પુસ્તકમાંથી મળેલું છે તે વિચારતાં પાઠશોધન વિષે આપણું મત સારું થઈ શકતું નથી:-- ગુજરાતી પ્રેસનો પાઠ. અપ્રસિદ્ધ ગુજરાતી પુસ્તકનો પાઠ. એક વૃંદાવનમાંહે નિકુંજના મહેલમાં એકદા વૃંદાવનમાંહે નિકુંજના મહેલમાં. હાજરે જોડે રહી સખી જોય. હાજીરે જાલંકી ચટી સખી જોય. શભાતણે નથી પાર કામરતિ બીરાવ્યાં. શોભાતો નથી પાર કામરતિ લાયાં. સાડી ચાળી પહેરી સામળે ધેમન લેાભી. સાડી ચાળી પહેરી સામળે લેથે મન દ્વાભી. a ઇયાદિ e ઇત્યાદિ આ પ્રમાણેના પાઠ કરી જવાથી અર્થનો અનર્થ થાય છે, રસમાં ભંગ થાય છે, કે ભ્રમ પેદા થાય છે. આશા છે કે આવી આવૃત્તિઓ વધારે લક્ષ પૂર્વક કરવાના પ્રયત્ન હવે પછી થશે. આ પ્રસે જે કાર્ય આરંભ્ય છે તે ધણું રસ્તુતિ કરવા યોગ્ય અને પ્રત્યેક જણને ઉત્તેજન આપવા યોગ્ય છે, તેમાં આપણને દયારામનું કાવ્ય જે અતિ સસ્તિ કીમતે આપ્યું છે તે તો ખરેખર એક અપૂર્વ લાભજ કર્યો છે. ૮૧-નીતિ વ્યાવહારિક ધમા-ધર્મનો નીતિ અને વ્યવહાર સાથે સંબંધ બતાવવા માટે જેટલા ગ્રંથ લખાય તેટલાની જરૂર છે, કેમકે ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજી તેમાં નીતિ ૮૧--રચનાર રા. રા. વ્હાલજી લમીરામ–પ્રસિદ્ધ કરનાર રા. માણેકલાલ કાશીરામ વઢવાણુ ફેં૫, કીમત રૂ. ૧-૦-૦ GanaFlertade Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 14850