પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૐ’ધાવલાકને, ૮૫-જટિલ પ્રાણપદ બધ;-આ નાના ટપદ્યબંધનો લેખ અમારા આગળ બહુ વખતથી પડે છે, ને તેની અવતરણિકા વાચતાં અમને તેમાં કાંઈ ચમકાર હશે એમ લાગવાથી અમે તેનું અવલોકન કરતા પૂર્વે તેને વિચારવામાં વખત લીધા છે. એ અમારી આ શા નિર્લ થઈ નથી; એ ગ્રંથમાં છુટક પદ્યા લખેલાં છે તેમાં જે કલ્પનાશક્તિ વપરાઇ છે તે ઉત્તમ પ્રતિની છે ને અધિક અભ્યાસથી સારી નીવડવાની આશા આપે છે. પ્રથમના ચંદ્ર અને કુમુદીના વિષયમાં જે રચના થઈ છે તે કોઈ કવિને શાભાવે તેવી છે, ને તેમાંને ગૃઢ થયાર્થ રસિક હાઈ સર્વ સ્ત્રીપુરુષને ઉપદેશદાતા છે. ભાષા મધુરને સુસંસ્કારવાળી છે. ગ્રંથને જટિલપ્રાણ પદબંધ એ વિલક્ષણ નામ આપ્યું છે તેના મર્મ કાંઇ સ્પષ્ટ થતા નથી, પણ ઉત્સર્ગમાંની નીતિને આધારે એમ કાંઈક અનુમાન કરાય કે જટાશકર અને પ્રાણશંકર નામના લેખકના કોઈ મિત્રના મેગે આ પદ્યબંધ ઉભા હોય, ને તેથી પ્રેમપહાર દ્વારા તેમનાજ નામથી અંકિત કર્યો હોય. a ૮૬—સુંદરી ગુણમંદિર:આ ગ્રંથની બીજી આવૃત્તિ થયેલી જોઈ સંતોષ થાય છે કે એવા ઉપયોગી ગ્રંથનો જેટલો ખપ થવું જોઇએ તેટલે થતો જાય છે, અમને જોઇને સંતોષ થાય છે કે અમે પ્રથમવૃત્તિ વખતે જે સૂચનાઓકરી હતી તેમાંની ઘણી ખરી ગ્રં. થકારે બીજી આવૃત્તિમાં દાખલ કરેલી છે, ને તે ઉપરાંત બાળકોના વૈદાસંબંધી એક ઉપયોગી વિભાગ પણ ઉમેર્યો છે. જો કે તે વિભાગમાં દવાના ઉપયોગ સંબંધે કેટલીક અગત્યની -નણવાજોગ હકીકત નથી આવી તો પણ એ એકંદર સમજ ઉપગની છે. ગ્રંથ સર્વ સ્ત્રીએને નિરંતર મનન કરવા યોગ્ય છે. ' એ સિવાય સરસ્વતીચંદ્રનું અવલોકન, સમીકીભગવદ્ગીતા, સદ્ગુણસ્મરણ, સતિસાર ચરિત્ર, એ ગ્રંથે પહોંચ્યા છે તે ઉપકારસાથે સ્વીકારીએ છીએ. જુલાઈ-૧૮૮૦ ૮૭–-હિન્દ અને બ્રિટાનિયા:-ગૂજરાતી પુસ્તકમાંના કોઈ પણ પુરતકે ધણામાં ઘણા ઘેધાટ કર્યો હોય તો તે હિંદ અને બ્રિટાનિયા છે; અને એટલાજ કારણથી મેડી તે માડી પણ અમારી તેની તપાસ કરવાની ફરજ છે. એ પુસ્તકથી જે શાર મા અને જે જે ટીકાઓ યુરપ અમેરિકા અને આપણા દેશમાં એના વિષય પર થઈ, તે બધી એક જુદાજ દૃષ્ટિ બિંદુથી કરવામાં આવેલી હતી શત્રુ પણ કાઇવાર મિત્રની ગરજ સારે છે એમ જે કહેવાય છે તેને ભાગ્યશાલી નમુને આ પુસ્તકે પ્રાપ્ત કરેલી પ્રસિદ્ધિ એજ છે. પુસ્તક પ્રસિદ્ધ થયું, કે તુરત સરકારના ખુશામદીઓને બીચારા ગરીબ ગુજરાતી એડિટરને ચગદી નાખવાનો પ્રસંગ મળ્યા; તેમણે જે થાય તે કર્યું; પણ સત્ય છેવટ કર્યું. એ સંબધમાં અમારે અભિપ્રાય આપવાની જ. રૂર હોય તે અમે એટલું જ કહી શકીએ છીએ કે લેખકે દેશદાઝના આવેશમાં પોતાના વિચારમાં જે યોગ્ય આવ્યું તે ધારણુ નજર આગળ રાખી, રાજા પ્રજાના ગુણુ દોષનું અને તેમને સ્નેહ વધે તેવા માર્ગનું, જે વિવેચન કર્યું છે, તે જરા પણ બેવફાઈવાળું નથી, ઉલટું ૮પ-રચનાર રા. જીવરામ લક્ષ્મીરામ દવે ભાવનગર. ૮૬-રચનાર રા, મહાસુખરામ હરગોવનદાસ. મુંબઈ. મૂલ્ય ૨. ૦-૧૦-૦ ૮૭-રચનાર ઇરછારામ સૂર્યરામ દેસાઈ ત્રીજી આવૃત્તિ મુંબઈ, Gandhi Heritage 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 19/50