પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, છે છતાં શુંગારવિરોધી નથી, પણુ આ સ્થાને સંસારે ઘટિarછુ વિકાઢ7 kયાદિ ઉક્તિ શૃંગારમાં બહુજ વિરોધ કરે છે, ને નાયક નાયિકા ઉભયને લાગુ પડી સ્થાયીભાવને જામવાજ દેતી નથી. શ્લોક ૮૦ માં મારે કાનાનાં કુરિવદિનાનાં ઢમક એ પદમાંના કાળાનાં નું ભાષાન્તર “ ઉરે ” થી કયું' છે, અને ઉર+એ એમ વિગ્રહ બતાવી ટીકા લખી કે * એ ” એ અવ્યય પ્રિયતમની નિષ્ફરતાનો આક્ષેપ કરવા સાથે હૃદયની ગર્તામાં પરિણામે છે. આવી યોજના અમને અનિષ્ટ લાગે છે. આખા શ્લોકનો ચમકાર પ્રિયતમની નિષ્ફરતા બતાવવામાં નહિ પણ તે નિષ્ફરતાનો નિષેધ કરવામાં રહેલો છે કઠિન એવા જે મારા પ્રાણુ આવે દશાપરિણામ થયા છતાં જીવવાની લાલસાથી હજી ટકી રહ્યા છે એ તે પ્રાણુના દેય છે એમ નાયિકાને કહેવાનો હેતુ છે. આવો વનિ છે એટલું જ નહિ, પરંતુ પ્રજાનાં નું ભાષા. ન્તર « ઉર” શબ્દથી કર્યું છે તે સ્વીકારતાં પણ “ એ ” એવો અવ્યય કાઢીને જે ટીકા યોજી છે તે અવ્યય મૂલમાં છે નહિ; આવી રીતે કહી’ કહી ભાષાના દોષને લીધે, કહીં' કહીં' મત ભેદને લીધે, ભાષાન્તરમાં ન્યુનત્વ જેવું ભાસે છે, પરંતુ ભાષાન્તરકારની ઉચ્ચ રસજ્ઞતા એવી છે કે તેમના હદયનાં સં. રસ્કારથી ધણેક ઠેકાણે મૂલમાં નહિ એવી ખુબીઓ પણ આવી ગઈ છેઃ શ્લોક ૮૭ માં “નાથપદ ઉમેરવાથી જે સ્વારસ્ય ખીલ્યું છે તે અમે કહી ચુકયા છીએ ક ૨૬ માં છેલા ચરણમાં એક “ ખીલતા”, એ શબ્દ ઉમેરીને ભાષાન્તરકારે મલના રસને બહુજ દીપાવ્યું છે. શ્લોક ૫૦ માં “ કરલતા “ સંકેલી ” એવું રાધિસ્ટાક્ષિશૈવાણા નું ભાષાન્તર કરીને કરલતાના માર્દવમાં ભાષાન્તરકારે અતિ ઉત્તમ માધુર્ય ઉ. મૈયુ છે. શ્લોક ૬૬ માં “ કંચુકી ઉરની પરંતુ કરૂં શું આ તૂટું તૂટું કરે ” એમાં મલના યાત્તિ પદથી બાધિત જે આરોપ તે સારી રીતે બહાર આણવા સારૂં તુટું તૂટું ” એમ ભાષાતરકારે જે પ્રયોજ્યું છે તેથી કંચુકીને ચૈતન્ય ધર્મ મળતાં તેનું તૂટવામાં સ્વાતંત્રય, અને નાયિકાની નિરુપાયતા, એ સ્પષ્ટ થતાં રસ દ્વિગુણિત થાય છે, શ્લોક ૬૧ માં ને બેલું" ન બેલું તે” એ દિક્તિ ભાષાન્તરકારે પોતાના તરફથીજ યોજી છે, ને તેથી ભૂલના રસમાં ઘણી વૃદ્ધિ કરી છે. ભાષાન્તર બહુ ઉત્તમ છે, ભાષા શુદ્ધ સંસ્કારવાળી છે. હીરો, હીસંતી, હેજ ઇત્યાદિ અપ્રસિદ્ધ શબ્દના પ્રયોગ, તેમજ પ્રાચીન શૃંગાર કાવ્યગત પ્રીતમજી, જીવણજી, લાલાજી, લાડલી, ઇત્યાદિ શબ્દોના વારંવાર પ્રયાગ, ન થયા હોત ને ઠીક હતું. en અમરુશતક મૂલ સંસ્કૃતમાં પંડિત દુગપ્રસાદે કાવ્યમાલામાં ટીકા સાથે છપાવેલું છે. અમરુકવિ સંબંધે દુર્ગાપ્રસાદે ત્યાં વિચાર કરેલો છે, તેમાં રા. કેશવલાલે કેટલાક વધારે કર્યો છે, આ ગ્રંથ ઉપર ઘણી ટીકાઓ છે. અર્જુનવર્મ, વેમભૂપાલ, દ્ધમ દેવ, રવિચન્દ્ર, સૂર્યદાસ, શેષરામ, કૃષ્ણ, એમની કરેલી તથા એક નનામી મળી આઠ ટીકાઓ છે. અર્જુનદેવની ટીકા દુર્ગાપ્રસાદે છપાવી છે, તેમાં આ શતકના પ્રત્યેક શ્લોક વિષે રસનાયિકા અલ કારાદિન સારે વિવેક છે. ભાષાન્તરકારે આ ટીકા તથા તેમભૂપાલની ટીકા વિકી, તેમજ પો. તાના વિસ્તીર્ણ જ્ઞાન પ્રદેશને અનુભવ પણ તેમાં સંજી જે અતિ ઉત્તમ ટીકા પદ્યા સાથે જોડી છે તે બહુ બોધદાયક અને રસિક છે. જુન-૧૮૯૨. eritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 29/50