પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ. છે, તેને દા. ડેઇસન જેવા પ્રમાણભૂત પંડિતની આ ઉતિજ ઉત્તર રૂપે પુર્ણ છે. જગને માયા-મિથ્યા-માની, બ્રહ્મને અવર્ણ અચિંત્ય માની, તેણે રપષ્ટ કહ્યું હતું કે અમુક નામરૂપ ગુણાદિવાળા કે કોઈ રીતે વર્ણવી શકાય તે ઈશ્વર માના એ તે નામરૂપ પરિચ્છેદવાળી મિયા માયામાંજ તેને મુકવા બરાબર છે, પાપ છે, ઈશ્વર તે એ અવસ્યું અને તક અને અણુ તેમ મહાન છે, તથા સર્વત્ર સમગ્ર વિદ્યમાન છે, કે તેનું જ્ઞાન કેવલ સ્વાનુભવગેચરજ છે. વળી શ કરે જગતને માયા કર.વી દેશ કાલ અને વરતુ એ ત્રણ પરિચ્છેદનું મિયાત્વ બતાવ્યું છે, પણ તે ત્રણ પરિચ્છેદ કેમ ઉપયા છે ને શાથી મિથ્યા છે એ વિષે શંકરે લંબાણ કરેલું નથી, ને તે બાબત આપણે જર્મન ફિલસુફ કેન્ટ પાસેથી જાણુવાની છે, એ પણ આ પંડિતે સાર સમજવ્યું છે. વેદાન્તવાદથી નીતિને ટેકો મળશે નહિ એમ કેટલાકની તકરાર છે તેનું નિરાકરણ કરતાં પણ એ તત્વો બહુ સારી રીતે બતાવ્યું છે કે વેદાન્ત સમાન નીતિ અન્ય કોઈ પણ સિદ્ધાન્તથી ઉદભવવી અશકય છે. પોતેજ જયાં સર્વરૂપે અનુભવે છે ત્યાં નીતિમત્તાની પરાકાષ્ટા છે એ સ્પષ્ટજ છે. રામાનુજ, વલ્લભ, મને ધ્વાદિ, દરશનને પણ તેણે સારે વિવેક બતાવ્યા હતા અને શંકરનેજ આખા જગતના ઉતત્તમ તત્ત્વજ્ઞનું માન આપ્યું હતું. ૧૩૧-વાદી અને સર્ષ–સર્પદંશથી નીપજતાં મરણની સંખ્યા વિચારતાં તથા એ વિષથી જે પ્રકારે અચાનક ને દુઃખકારક મરણુ નીપજે છે તે જોતાં માણસના મનને મોટા ત્રાસ થઈ જાય છે, અને ખરે ખર આવી મહા વિપત્તિમાંથી ઉગરવાને કોઇ પણ ઉ. ઉપાય હોય તે જાણુ એ પ્રત્યેક માણસની ફરજ છે. એ વિષને અદ્યાપિ સુધી કોઈ નક્કી ઉપાય જાણવામાં નથી. આ નાના પુસ્તકમાં પણ દવા દારૂ વિષે ઝાઝું લખવામાં આવ્યું નથી, પણ વાદી લોકો જે રાત દિવસ આખો જન્મારો સાપ સાથેજ ગાળે છે તેમની કેટલીક અનુભવવાળી યુકિતઓ સારી બતાવેલી છે, જે જાણી રાખી તે પ્રમાણે કરવામાં આવે તે, અવશ્ય આ મહાવિષથી ઉગરવાનો સંભવ છે. એટલા માટે અમારી ભલામણુ છે કે આ પુસ્તક સર્વેમાં ખાસ કરીને વાચી લક્ષમાં રાખવું. અકટોમ્બર–૧૮૯૪. ૧૩ર-સુરૂચી અથવા સુખી સંસાર–બંગાળાના જાણીતા વિદ્વાન પીઆરીચંદ્ર મીતરની બંગાળી ભાષામાં લખેલી આ નામની વાર્તાનું અંગરેજીમાં મીસીસનાઇટે ભાષાન્તર કરેલું છે તે ઉપરથી રા. મદનલાલે ગુજરાતી વાચનારને ઠીક પડે તે પ્રકારે ઘટતા ફેરફાર કરી આ વાતો લખી કાઢી છે. સુરતના એક સમૃદ્ધ કુટુંબના કાયસ્થ બાલક દુર્બલ અને નિરાધાર સ્થિતિમાં મુંબઈ જઈ ભણે છે અને નોકરી મેળવે છે. પરણવાનાં માગાં થયાં છતાં કન્યાને જઈ પરિચય કરી મહાટી વયે પરણવું’ એવા વિચારથી પરત નથી. સુરતના કાયસ્થાએ નાતબહાર મુકેલા કોઈ કાયરથ કુટુંબની સુરૂચી નામે દીકરી મુઇબમાં કોઈ દક્ષણી દાક્તરને ઘેર રહી શાલામાં ભણે છે તેને, આ કાયસ્થ જુવાન જેનું નામ સુરેશ છે તેને મેળાપ થતાં પરિચય વધે છે ને તેની સાથે તેનું લગ્ન થાય છે. સુરેશ અને સુરૂચી ધણાં સુખી થાય છે. ૧૩૧-રચનાર રા. દયાશંકર જેશંકર જુનાગઢ મુલ્ય ૦-૪-૦ ૧૩૨-ચતર રા. રા. મદનલાલ લલુભાઈ, મુંબાઈ, ગુજરાતી પ્રેસ મુલ્ય ૦-૧૨-૯ sana hifleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી વ4/50