પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૯૮૭ સુદર્શનચંદ્યાવલિ, છે, ભય પામે છે. ગ્રંથકર્તા કહે છે કે આ વર્ણન વાંચવાથી તે વખતની સ્થિતિ વાંચનાર જાણે છે એટલે તેને ભયાનક રસનો અનુભવ થાય છે . રસ શું વાચનાર ન હોત તો ન ઉપજત ! વાચનાર પેલી ધર્મશાલામાંજ હતા ? રસનિષ્પત્તિને નટાદિ કે શ્રેતાદિમાં માનવી એ તે કેવલ રસસ્વરૂપ ન સમજવાનું જ પરિણામ છે. ઠેકાણે ઠેકાણે તેઓ નટાદિકને વિષે રસ જણાય છે એમ લખે છે તે પણ અવાજ પ્રકારને ભ્રમ છે. સ્થાયિભાવનું સ્વરૂપ આપતાં પણ સ્થાયિભાવને માલાના દોરા સાથે સરખાવે છે એ ઋનિષ્પત્તિના અનુભવની ખામીની ચૂક છે. દશરૂપમાં સ્થાયીને “ લવણુકર ” કહ્યા છે, અને “ વિરુદ્ધ અવિરુદ્ધ એવા ભાવમાત્રને આમભાવ પમાડનાર સ્થાયી ” લવણકર છે, સમુદ્ર પિતામાં પડતું મીઠું માત્ર પાણીજ કરે તે છે, વ્યભિચારી સાત્વિક આદિ ભાવને પિતારૂપ કરી લેનારે છે. એજ ખરી નિષ્પત્તિ અને ખરે રસાનુભવ જણાવે છે, જેની ખામી સ્થાયિભાવને માલાના દેરા જેટલો જ જાણુનારમાં સ્પષ્ટ છે. “ રતિ ” એ સ્થાયિભાવનું સ્વરૂપ બાંધતાં પણ “ સ્ત્રીવિષયક ” રતિને જ રતિ કહી છે તે આ અનુભવની ખામીનું જ પરિણામ છે. કાવ્યસ્વરૂપ, શબ્દશક્તિ, રસસ્વરૂપ, આદિ પરત્વે આ કેટલેક ભ્રમ થઈ ગયેલ છે, તે જગ્યા પછી કહીં કહી શબ્દપ્રયાગ, અલંકારપ્રયાગ આદિ ચૂકે છે તે જણાવવાની અને વશ્યકતા નથી. છતાં દિગ્માત્ર જણાવવા, કત્રિમ, પ્રાસાદિત, અદિપાગ કૃત્રિમ, પ્રસાદિત એમ જોઇએ એટલું જણાવવું ઉચિત છે. કાવ્ય, ‘ કાન્તાની પેઠે અભિમુખ કરીને ” ઉપદેશ આપે છે એવી મમ્મટની ઉકિતનો અર્થ કરવામાં અભિમુખ એટલે “ પોતાની તરફ ફિરવી ”—ને એ સ્થૂલ અર્થ રસશાસ્ત્રના કર્તાએ કરી જોયો ન હતો. અલંકારના પ્રયુગ પણ કહીકહી’ યથાર્થ નથી. બધા લોકે ચિત્તની એકાગ્રતા માટે જાણીને યત્ન કરતા નથી, પણ જે જે યહન કરે છે તેમાં તે માટેનાજ યન હોય છે; આ ઉક્તિ ઉપર દષ્ટાન્ત આપે છે કે નામ, સર્વનામ, ક્રિયાપદ, વગેરે “ સમજીને લેકે બાલતાં નથી, પણ તેમના બેલવામાં તે હોય છેજ, તેમ આ વિષે જાણવું.” આ દાન્ત વિસદશ છે, કેમકે એકાગ્રતા માટે જ યત્વ હોય છે તેમ નામ સર્વનામ આણવા માટે યત્ન નથી, યત્ન તો અર્થ જણૂાવવા માટે છે. ' આવી નાની મોટી ચૂકી છતાં, આ ગ્રંથને બુદ્ધિમાન વાચકે પૂવોપર વિચારીને વાચશે તે તેમાંથી તેમને સારા સંસ્કાર બેસશે એમ કહેતાં અમને સંતોષ થાય છે. a ડીસેમ્બર–૧૮૯૫. ૧૩૬ વિભાવરીસ્વમ:-આ એક નાનું રસપૂણ ખંડકાવ્ય છે. આવાં કાળ્યાના ઉભવને સહુદા વધારે રુચિકર માનો, અને અમને આશા છે કે જટિલે જે વિવેચન આ પ્યું છે તેથી એ લેખકનું રસિકત્વ સર્વને વધારે સ્પષ્ટ થઈ શકશે. જ્યારે પ્યારા અને પ્યારીની કવિતાઓને જ પ્રેમ કહેવાને વહીવટ પડી ગયો છે, કવિએ કવિતાનું ઉચ્ચ સ્વરૂપ સમજ્યા વિના સ્થલ ભાવમાં તેને છિન્ન ભિન્ન કરી નાખીને પણ પોતાને કવિ કહેવરાવવામાં માન માનવા માંડયું છે, ત્યારે આવેલું એક માર્મિક, આશાજનક, અને કાવ્યસ્વરૂપને અતિસમીપ એવા ઉદ્ગાર જોઈ મન કાંઈક આશ્વાસના પામે છે. આવા યત્ન ખરેખર ઉત્તેજન યેગ્ય છે. આ કાવ્યનું વસ્તુ કાંઈજ નથી એમ કહીએ તો પણ ચાલે, પરંતુ એમાં પ્રેમનો ૧૩૬-રચનાર રા. રા. ત્રિભવન પ્રેમશંકર ત્રવાડી. નિર્ણયસાગર મુંબાઈ. મુદ્રય - . ૦-૧૨-૦. Gandhi Heritage Portal © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust 50/50