પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


એક ખુણામાં ગુપચુપ બેસી રહેલા નજરે પડે છે.

સરતચંદ્ર ગુપ્ત નામનો અહીંનો સ્ટેશન માસ્તર પ્રભુનો ભક્ત હતો. મહાત્માઓની સેવા તે કરતો. કોઈ સારા મહાત્મા મળે તો તેને ગુરૂ તરીકે સ્થાપવાનો તેનો વિચાર હતો. પોતાના કામને અંગે સરતચંદ્ર સ્ટેશનના કંપાઉન્ડમાં આમ તેમ ફરતા હતા એટલામાં તેમણે ખુણામાં આસનવાળીને બેઠેલા સ્વામીજીને જોયા. સરતચંદ્રે તેમની પાસે જઈ નમસ્કાર કર્યા અને સ્વામીજીને પોતાના મકાનમાં આવવાનું કહ્યું. અહીંઆ તે એક બે દિવસ રહ્યા. સરતચંદ્ર અનેક સવાલ પુછતો અને પોતાના મનનું સમાધાન કરી લેતો. એક વખત તે સ્વામીજી પાસે આવ્યો અને તેમને જરાક ઉદાસ ચહેરે બેઠેલા જોયા. સરતચંદ્ર એ વિષે પૂછતાં સ્વામીજીએ જવાબ આપ્યો “મારે ઘણું કામ કરવાનું છે, અને તે કરવાની શક્તિ મારામાં નથી. મારા ગુરૂની આજ્ઞા છે કે મારે કાર્ય કરવું તે કાર્ય કંઈ નાનું સુનું નથી, તેમાં આપણા ભારતવર્ષનો પુનરોદ્ધાર આવી રહે છે. આપણા દેશમાંથી અધ્યાત્મિકતા ઘટી જઇને નષ્ટ થવા બેઠી છે. દેશ તેથીજ ગરીબાઈમાં આવી રહેલ છે. હિંદુસ્તાને તે અધ્યાત્મિકતા પ્રાપ્ત કરીને અખિલ વિશ્વને આપવી જોઈએ.” આમ કહેતે કહેતે સ્વામીજીના મુખ ઉપર અલૌકિક પ્રકાશ અને સૌંદર્ય વ્યાપી રહ્યું અને તેમની આંખો તેજથી ચળકવા લાગી. સરતચંદ્ર ચકિત્ થઇને સાંભળી રહ્યો અને બોલ્યો “આ રહ્યો હું, સ્વામીજી ! તમારે જે કંઈ કરવાનું હોય તે મને કહો.” સ્વામીજીએ જવાબ આપ્યો “હાથમાં ભિક્ષાની ઝોળી ધારણ કરીને આ કામ કરવાને તમે તૈયાર છો? તમે ઘેરઘેર ભિક્ષા માગવા જઈ શકશો ? તમે ત્યાગીનું જીવન ગાળી શકશો ?” સરતચંદ્રે બહાદુરીથી જવાબ આપ્યો “હાજી.”

થોડા વખતના સમાગમથી ૫ણ સરતચંદ્રનું હૃદય સ્વામીજી પ્રત્યે