પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


મહારાજા અનેક વિષયો પર પ્રશ્ન પૂછતા. જીવન શું છે? કેળવણી શું છે ? કાયદો શું છે ? ઉત્તર આપતે આપતે સ્વામીજી સાંખ્યશાસ્ત્ર અને આધુનિક વિજ્ઞાનશાસ્ત્રની એકવાક્યતા દર્શાવવા લાગ્યા અને રાજ્યમાં વિજ્ઞાનશાસ્ત્રની કેળવણી આપવાનું રાજાને સુચવવા લાગ્યા. રાજાનો સ્વામીજી પ્રત્યેનો ભાવ અપૂર્વ હતો. રાજાજી તેમની સેવા કરતા અને તે એટલે સુધી કે સ્વામીજીના પગ પોતે જાતે દાબતા ! સ્વામીજી ના કહેતા પણ રાજાજી બોલતા “હું તમારો શિષ્ય છું. તમે મારા હક્ક ગુમાવો નહીં.” ભારતવર્ષના કલ્યાણની અનેક યોજનાઓમાં સ્વામીજીને મદદ કરવાને આ મહારાજા સર્વદા તૈયારજ રહેતા. સ્વામીજી પણ તેમનો સાચો ભાવ જોઈને તેમના ઉપર અત્યંત પ્રીતિ રાખતા અને વખતો વખત પત્રથી તેમના અને જનસમાજના હિતનો બોધ આપ્યા કરતા.

એક વખત ગ્રીષ્મ રૂતુમાં મહારાજા અજીતસિંહજી બહાદુર કેટલાક મિત્રો સાથે પોતાના એક મહેલમાં બેઠા હતા. એ વખતે મહારાજાએ સ્વામીજીને બોલાવવાને પોતાના ખાનગી કારભારીને મોકલ્યા. સ્વામીજી આવ્યા અને મહારાજા જોડે વાત કરવા લાગ્યા. એટલામાં મહારાજાએ એક કન્યાને ગાવાનો હુકમ કર્યો. તેણે ગાવા માંડ્યું એટલે સ્વામીજીએ ઉઠીને ચાલવા માંડ્યું. મહારાજાએ ઘણોજ આગ્રહ કર્યો અને કહ્યું “સ્વામીજી, એનું ગાયન હૃદયમાં ઘણા ઉચ્ચ ભાવોને જગાડે તેવું છે.” સ્વામીજીએ એકાદ ગાયન સાંભળીને જવાનો વિચાર કર્યો અને પાછા ત્યાં બેઠા. આસપાસ પવનની લહેરો આવી રહી હતી. સર્વત્ર શાંતિ પ્રસરી રહી હતી. વાદ્યના સુર સાથે તે કન્યાનો સુર ભળી જતો હતો અને તેનું ગાયન ઘણુંજ મધુર બની રહ્યું હતું.

ગાયનને જે સમજે તેનાજ હૃદયમાં તેમના અનેક ભાવ ઉત્પન્ન