પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૯
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


નવાઈ શી છે ! સ્વામીજી તડકામાં બેઠા હતા અને તે વાણીઓ છાંયડામાં બેઠો બેઠો અનેક સ્વાદિષ્ટ વસ્તુઓ ખાતો હતો.

એટલામાં એક બીજો માણસ ગામમાંથી ત્યાં આવ્યો. તેના એક હાથમાં એક પોટલી અને લોટો હતા અને બીજા હાથમાં એક સાદડી અને પાણીનો ઘડો હતો. તેણે પોલીસ વાળાને કશુંક કહીને સાદડીને એક સ્વરછ અને છાયા વાળી જગ્યામાં પાથરી. તેના ઉપર હાથમાંની સઘળી વસ્તુઓ મૂકી અને દોડતો દોડતો તે સ્વામીજીની પાસે આવી કહેવા લાગ્યો “પધારો બાબાજી ! મેં તમારે માટે ભોજન આણ્યું છે તેનો અંગીકાર કરો.” પેલો મારવાડી તો સ્તબ્ધજ બની ગયો. પેલો નવો માણસ ફરીથી કહેવા લાગ્યોઃ “બાબાજી ! એ પ્રસાદ તમારે લેવોજ પડશે!" સ્વામીજી બોલ્યાઃ “ભાઇ, તમે ભૂલતા હશો. કોઈને બદલે કોઈને ધારતા હશો. હું તમને કદી મળ્યો હોઉં એવું મને યાદ નથી.” તેણે જવાબ આપ્યો “હું એક હલવાઈ (કંદોઈ ) છું. બપોરે હું જરા સૂતો હતો ત્યારે સ્વપ્નામાં મને એવી પ્રેરણા થઈ આવી કે સ્ટેશન ઉપર કોઈ મહાત્મા પુરૂષ ભુખ્યા છે, તેમને માટે ભોજન, પાણી અને બિછાનું લઇને જા. હું જાગી ઉઠ્યો, પણ તે માત્ર એક ખાલી સ્વપ્ન હશે એમ ધારીને પાછો સૂઈ ગયો. પણ ફરીથી પાછી એવીને એવીજ પ્રેરણા બહુજ જોરથી મનમાં થઈ આવી અને મારાથી વધારે વાર સૂઈ રહેવાયું નહિ. ઉઠીને મેં જલદીથી પુરી અને શાક બનાવ્યાં અને કેટલીક મીઠાઈ, પાણીનો ઘડો તથા આ સાદડી લઈને હું દોડતો આવ્યો છું. આપ હવે પધારો અને કૃપા કરીને ભોજનનો અંગીકાર કરો. આપને બહુ ભૂખ લાગી હશે.” ત્યારે સ્વામીજીએ ભોજન કર્યું અને જમતે જમતે પ્રભુની અગાધ કૃપાનો વિચાર કરતાં સ્વામીજી ઘણા જ ઉલ્લાસથી શ્રીમદ્ ભગવદ્‌ગીતાનો નીચલો શ્લોક મનમાં બોલી રહ્યા.