પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૩
પશ્ચિમના પ્રવાસની તૈયારી અને સમુદ્રયાન.


પ્રવાસની તૈયારી.

તેમના પ્રયાસથી થોડાજ સમયમાં સારી રકમ એકઠી થઈ ગઈ અને તે સ્વામીજીને ભેટ કરવામાં આવી.

આ પ્રમાણે સ્વામીજી પશ્ચિમમાં જવાની તૈયારી કરી રહ્યા હતા એટલામાં ખેત્રીના મહારાજાના ખાનગી કારભારી જગમોહનલાલ ત્યાં આવી પહોંચ્યા. ખેત્રીના મહારાજાને પુત્ર નહોતો અને સ્વામીજીનાં પગલાં પોતાને ત્યાં થયા પછી અને તેમની કૃપાથી રાજાજીને ઘેર પુત્રનો જન્મ થયો હતો. પુત્ર જન્મની ખુશાલીમાં રાજાજી મોટો ઉત્સવ કરવાની તૈયારી કરી રહ્યા હતા અને સ્વામીજીની કૃપાદૃષ્ટિથીજ પુત્રની પ્રાપ્તિ થયેલી હોવાથી તે ઉત્સવ વખતે સ્વામીજીનાં પવિત્ર પગલાં તેમના મહેલમાં જોઇએજ એવી રાજાજીની ઉત્કટ ઇચ્છા હતી. સ્વામીજી મદ્રાસમાં છે એમ જાણીને તેમણે પોતાના ખાનગી કારભારીને ત્યાં મોકલ્યો હતો. જગમોહનલાલે પોતાનું આવવાનું કારણ જણાવ્યું, પણ સ્વામીજી પશ્ચિમમાં જવાની તૈયારી કરી રહ્યા હતા તેથી તેમણે ખેત્રી જવાની ના પાડી. જગમેહનલાલે ઘણો આગ્રહ કર્યો અને નહિ આવો તો રાજાજી ઘણાજ નિરાશ થઈ જશે એમ જણાવવાથી છેવટે સ્વામીજીને તે વાત કબૂલ કરવી પડી.

સ્વામીજી દરબારમાં પહોંચતાં રાજાજીએ તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પોતા ઉપર માટે અનુગ્રહ થએલો જણાવીને ઘણાજ આનંદથી તેમને સિંહાસને બેસાડ્યા. એ પ્રસંગે ત્યાં પધારેલા અન્ય રાજાઓ, કુંવરો અને શેઠ શાહુકારોએ પણ સ્વામીજીને હર્ષથી પ્રણામ કર્યા અને ઉત્સવનું કાર્ય ઘણા ઉલ્લાસથી કરવામાં આવ્યું. રાજાજીએ પોતાના બાળકને દરબારમાં મંગાવરાવ્યો અને સ્વામીજીનો તેને મસ્તકે હાથ મુકાવી આશીર્વાદ લીધો.

ખેત્રીથી સ્વામીજી મુંબઈ જવાને ઉપડ્યા. ત્યાં તેમને કેટલીક