પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૩૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૭
સર્વધર્મપરિષદ.


તે અધ્યાત્મિક નિયમો છે.

પરિષદ્‌નું કામ લગભગ સત્તર દિવસ સુધી ચાલ્યું હતું અને તેમાં આશરે એક હજાર નિબંધ વંચાયા હતા. સ્વામીજી તેમાં હમેશાં ભાષણ આપતા અને શ્રોતાઓ વેરાઈ ન જાય તેટલા માટે તેમનું ભાષણ દરરોજ છેલ્લુંજ રાખવામાં આવતું હતું. આથી કરીને સર્વે શ્રોતા લોકો પરિષદ્‌માં સવારના દસથી તે રાતના દસ વાગતા સુધી બેસતા હતા. ઘણા નિબંધો તેમને નિરસ લાગતા હતા તો પણ છેવટે સ્વામી વિવેકાનંદનું મધુર ભાષણ સાંભળવાને તેઓ બેશીજ રહેતા.

સ્વામીજી પ્રત્યે અમેરિકન પ્રજા કેવો પૂજ્યભાવ ધરાવતી હતી તે વિષે જણાવતાં મહાબોધી સોસાઈટીના જનરલ સેક્રેટરી ધર્મપાલ લખે છે :— “શિકાગોના મહેલ્લાઓમાં સ્વામીજીની છબીઓ જ્યાં ત્યાં ટાંગેલી માલમ પડતી હતી અને તેમની નીચે “સાધુ વિવેકાનંદ” એવા શબ્દો લખેલા દેખાતા હતા. રસ્તે જનારા હજારો ગરીબ અને ધનવાન મનુષ્યો તે છબીઓ તરફ જોઈને પૂજ્યભાવથી નમન કરતા હતા.” આ કંઈ સાધારણ માન ન હતું. સઘળા હિંદુઓએ, જો તે ખરેખરા હિંદુ હોય તો તેમને માટે અભિમાન ધરવું જોઈએ. તેઓએ વળી આ વાતથી પણ હર્ષ ધરવો જોઈએ કે તેમના પ્રાચીન રૂષિઓનું તત્ત્વજ્ઞાન ગ્રહણ કરવાને અમેરિકન પ્રજા તૈયાર છે. હિંદુઓએ હવે બીજી પ્રજાઓના માત્ર એક હથીઆર તરીકેજ પોતાનું જીવન ગાળવાનું નથી, પણ તેમણે પોતાના અનુપમ તત્વજ્ઞાનને ચારિત્રમાં ઉતારીને અને તે જ્ઞાન–ચારિત્રનો અખિલ વિશ્વને બોધ આપીને સમસ્ત માનવ જાતિના ગુરૂ થવાનું છે.

સ્વામીજીની પવિત્રતા, વૈરાગ્ય અને જ્ઞાનથી આકર્ષાઈને ઘણા