પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૪૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



પ્રકરણ ૪૫ મું – મદ્રાસમાં અપૂર્વ માન.

કુંબાકોનમ અને મદ્રાસની વચમાં આવેલાં સ્ટેશન ઉપર સ્વામીજીને જે માન આપવામાં આવ્યું હતું તેનું વર્ણન આપવું અશક્ય છે. નાનાં મોટાં સઘળાં સ્ટેશન ઉપર હજારો માણસો તેમનાં દર્શન કરવાને ભેગાં થઈ રહ્યાં હતાં. કેટલાંક નાનાં સ્ટેશનો ઉપર આગગાડી ઉભી રહેતી નહોતી ત્યાં લોકો આઘેથી તેમનાં દર્શન કરીને પોતાને ધન્ય માનતા હતા. સ્વામીજીનાં દર્શનને માટે લોકો કેવા આતુર હતા તેનો ખ્યાલ નીચેના વર્ણનથી આવી શકશે.

કુંબકોનમથી મદ્રાસ જતાં રસ્તામાં એક નાનું સ્ટેશન આવતું હતુ. આગગાડી ત્યાં ઉભી રહેવાની નહોતી. અસંખ્ય મનુષ્યો સ્વામીજીનાં દર્શન કરવાને સ્ટેશન ઉપર એકઠા થયા હતા. આગગાડી ત્યાં ઉભી રહેવાની નથી એમ જાણીને તેમણે તેને ઉભી રાખવાને સ્ટેશન માસ્તરને અરજ કરી, પણ તેણે ના પાડી. લોકોએ ઘણા અધીરા બની ફરી ફરીને આજીજી કરી, પણ કંઈ વળ્યું નહિ. આથી ગાડી આવતી દૂરથી જણાતાંજ ઘણા લોકો રેલ્વેના પાટા ઉપર સુઈ ગયા ! સ્ટેશન માસ્તરને શું કરવું તે નહિ સુઝવાથી નાસી ગયો. આગગાડીમાંથી એંજીન ચલાવનારે જોયું તો પાટા ઉપર હજારો મનુષ્યોને પડેલાં જોયાં. તેણે તરતજ ગાડી ઉભી રાખી. સ્વામીજીના ડબ્બાની આસપાસ લોકો ફરી વળ્યા અને તેમનાં દર્શન કરીને હર હર મહાદેવના હર્ષનાદ કરી રહ્યા. લોકોનો અત્યંત ભાવ જોઇને સ્વામીજી ડબ્બામાંથી બહાર આવ્યા અને કેટલીક મિનિટ સુધી ઉભા રહ્યા. તેમણે પ્રીતિથી પોતાના બંને હાથ લંબાવીને સર્વને આશિર્વાદ આપ્યા.

સ્વામીજી આવે છે એવી ખબર તારથી મળતાંજ આખા મદ્રાસ શહેરમાં ભારે ઉત્સાહ વ્યાપી રહ્યો. તેમને આવકાર આપવાની ભારે