પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


વળી બીજે સમયે તેમણે કહેલું છે કે :-

"છોકરાઓ, તમે કદીએ મદ્રાસની બહાર તો પગ મૂક્યો નથી અને તમે ત્રીસ કરોડ મનુષ્યને માટે સુધારાના નિયમો ઘડવાને ઉભા થઈ રહ્યા છો ! એમની પાછળ હજારો વર્ષથી ઉતરી આવેલી પ્રાચીન ભાવનાઓ રહેલી છે તેને તો તમે ભૂલીજ જાઓ છે. તમને શરમ નથી આવતી ? દૂર રહો, આવા નિર્લજ કાર્ય પહેલાં જરા તમેજ બોધ ગ્રહણ કરો. "તમે ભારતવર્ષનો ઇતિહાસ વાંચ્યો છે? રામાનુજ કોણ હતા ? શંકરાચાર્ય કોણ હતા ? નાનક કોણ હતા ? ચૈતન્ય કોણ હતા ? કબીર કોણ હતા ? દાદુ કોણ હતા ? જ્ઞાનેશ્વર, તુકારામ અને રામદાસ કોણ હતા ? એક પછી એક ઉત્પન્ન થયેલા એ મહાન ઉપદેશકો–એ મહા તેજસ્વી તારાઓ કોણ હતા ? શું તેમને ગરિબ વર્ગને માટે લાગણી ન હોતી ?” આધુનિક કેળવણીમાં સ્વામીજી જે ખરાબીઓ જોતા તે વિષે એકવાર તેમણે કહ્યું હતું કે:―

“તમે જે કેળવણી આજે લઈ રહેલા છો તેના કેટલા ફાયદા છે ? ફાયદા કરતાં તેના ગેરફાયદા વધારે છે અને તે ગેરફાયદા એવા ભયંકર છે કે તેની આગળ સઘળા ફાયદાઓ દબાઈજ જાય છે. પહેલી વાત તો એ છે કે એ કેળવણી મનુષ્યને મનુષ્યત્વ પ્રાપ્ત કરાવનારી નથી. તે કેવળ મનુષ્યત્વનો નકાર ભણાવનારીજ છે અને એની કેળવણી તો મૃત્યુ કરતાં પણ વધારે ખરાબ છે. વિદ્યાર્થી પહેલીજ વાત તો એ શિખે છે કે એના પિતા મૂર્ખ છે; બીજી વાત તે એ શિખે છે કે એના દાદા ગાંડા છે; ત્રીજું કે તેના ગુરૂઓ દંભી છે; ચોથું કે તેનાં સઘળાં શાસ્ત્રો જુઠાં છે અને સોળેક વર્ષના થાય ત્યાં સુધીમાં તો તે લગભગ ચેતન અને અસ્થિ વગરનો નકારાનો ઢગલોજ બની રહે છે.”

એટલાજ માટે સ્વામીજીની ઇચ્છા એવી હતી કે હિંદમાં મનુષ્યને