પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


જેમ ઈંદ્રિય સુખને માટે નથી તેમ તે તારા એક્લાનાજ સુખને માટે નથી

તું ભૂલી જઈશ નહિ કે તારો જન્મ શ્રીજગદંબા-માતૃભૂમિના યજ્ઞમાં બલિદાનને માટેજ છે.

તું ભૂલી જઈશ નહિ કે તારૂં સામાજિક બંધારણ સર્વવ્યાપી-પ્રભુપ્રેમનું પ્રતિબિંબજ છે.

તું ભૂલી જઈશ નહિ કે નીચલા વર્ગો અભણ, ગરિબ, અજ્ઞાની, મોચી, ભંગી એ સર્વ તારા ભાઈઓ છે-તારા પોતાનાંજ શરીર છે.

બહાદુર હિંદુ ! હિંમત ધર અને ગર્વથી બોલ કે હું ભારતવાસી છું અને પ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે.

તારા શરીર ઉપર ભલે માત્ર એક ફાટેલી લંગોટીજ રહેલી હોય તોપણ ગર્વથી કહે કે ભારતવાસી ભિખારી બ્રાહ્મણ, અજ્ઞાની અત્યંજ અને નિરાધાર બાળક પણ મારો ભાઈ છે.

પ્રત્યેક હિંદી મારા પ્રાણ સમાન છે.

હિંદના સર્વ દેવો અને દેવીઓ મારા ઈશ્વર છે.

હિંદુ સમાજ મારા બાળપણનું પારણું છે.

મારી જુવાનીનું વિહારસ્થાન પણ તેજ છે.

મારી વૃદ્ધાવસ્થાનું સ્વર્ગ પણ તેજ છે.

હે ભાઈ! દિલ ખોલીને કહે કે ભારતભૂમિજ મારૂં શ્રેષ્ઠ સ્વર્ગ છે.

'હિંદના ભલામાંજ મારૂ ભલું સમાઈ રહેલું છે.

અને રાતદિવસ પ્રાર્થના કર કે ઓ ગૌરીપતિ ! ઓ | જગદંબા અને મનુષ્યત્વ-શૌર્ય આપ.