પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૭૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯૫
ઉપસંહાર.


ઓ સામર્થ્યદાયિની દેવી ! મારી નિર્બળતાને હરી લે, મારી કાયરતાનો નાશ કર, મને ખરો મનુષ્ય બનાવ."

ભારતવર્ષમાં અનેક નેતાઓ ઉભા થયા છે, થાય છે અને થશે; અનેક જણ હિંદના હિતમાં ભાગ લે છે ને લેશે; અનેક સ્વદેશભક્તો ભારતવર્ષમાં નજરે આવે છે, પણ અફસોસની સાથે કહેવું પડે છે કે તેમાંના ઘણાખરાઓની દેશભક્તિ માત્ર તેમની જીભ સુધીજ પહોંચેલી હોય છે. દેશની દશાના દુઃખથી જેના હૈયામાં આગ લાગી રહી હોય એવા વિરલ જ છે. માણસની સ્વદેશપ્રીતિ કેવા પ્રકારની છે તે વાત તેના ખાન, પાન, પોશાક, ચલન, વલન અને વર્તન ઉપસ્થી સ્હેજે જણાઈ આવે છે.

સ્વામીજીના સંબંધમાં લખતાં ધી ઈન્ડીપેન્ડન્ટ પત્રના અધિપતિ સી. એસ, રંગ આયર લખે છે કે “પહેલીવાર જોતાં એમજ લાગે છે કે સ્વામીજી ખરેખરા સ્વદેશ ભક્તજ હતા. બીજીવાર જોતાં એમજ લાગે છે કે તે ખરેખરા સમાજ સુધારકજ હતા. ત્રીજીવાર જોતાં એમ જ ભાસ થાય છે કે તે ખરેખરા ધાર્મિક સુધારકજ હતા. એ દરેક બાબતમાં સ્વામીજી સંપૂર્ણ આદર્શ પુરૂષ હતા; એટલે કે જીવનની દરેક કલા અને પ્રવૃત્તિમાં તે શ્રેષ્ઠ પૂર્ણતાએ પહોંચી રહ્યા હતા. તેમનાં ભાષણોએ ઘણાજ ઉંચા પ્રકારનો પ્રજાકિય જુસ્સો આપણામાં રેડ્યો છે. તેમની માનવજાતિની નિઃસ્વાર્થ સેવાએ મારા મન ઉપર ઘણી અસર કરેલી છે. તેમના જેવી નિઃસ્વાર્થ સેવા થોડાકેજ કરી હશે. હિંદમાં જ્યારે દુષ્કાળ અને પ્લેગ ચાલી રહ્યા હતા ત્યારે ઘણાઓને નેતાઓની જરૂર હતી. અનેક નાલાયક પુરૂષ પણ નેતા બન્યા અને કામ ઘણુંએ બગડ્યું. ખરો નેતા કેવો હોઈ શકે તે સ્વામી વિવેકાનંદે પોતાના જીવનથી દર્શાવી આપ્યું હતું.”

સ્વામી વિવેકાનંદની સ્વદેશપ્રીતિ કાંઈ પાશ્ચાતોના સંસર્ગનું પરિણામ