પૃષ્ઠ:Tarlaa.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૯
લગ્ન.


નહોતાં એટલે અરવિન્દ તો પિતાના ગુમાસ્તા, બે ચાર સારા ખેડુતો અને વાણીયાને લઈને જ આવ્યો હતો. એની તરફ ગણો તે વસન્તલાલ કે સુમનલાલ પણ સુમનલાલ તેમ જ વસંતલાલ તરલાના મંદવાડને લીધે ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકે એમ નહોતા. અરવિન્દ કેળવાયેલો હતું, જાગીરદાર હતો, પરંતુ મુંબાઈની સાસાયટીમાં જાણીતો નહોતો, એટલું જ નહી પણ તેને સોસાયટીમાં ફરવું ગમતું ન હોવાથી મુંબાઈમાં 'લીલાના વર' તરીકે ઓળખાતો હતો. મુંબાઈ આવતાં વાર જ અરવિન્દને માટે સ્ટેશન ઉપર મોટરો તૈયાર હતી. કાઠિયાવાડના ખૂણાના ગામડાના રહેવાશી, ગામડાના પટેલ, ખેડુતો, શેઠ ઉપનામથી ઓળખાતા વાણીયાઓએ જન્મભર મોટર જોઈ નહોતી, તેમને અરવિન્દની સાથે મોટરમાં બેસતાં કાંઈ કાંઇ તાજુબી થઈ, પરંતુ ડાહ્યા એટલા જ કે તેઓ મુંગા રહ્યા. અરવિન્દને માટે વાલકેશ્વર ઉપર ઉતારો હતો. સામે દરિયો, વિશાળ બાગ, સૌંદર્યવાન બંગલો અને તેમાં લગ્નનિમિત્ત કરેલી શોભાઃ આ સર્વ પૃથ્વી ઉપર સ્વર્ગનું ભાન કરાવતી હતી. શાન્ત, સાદું જીવન ગાળનાર અરવિન્દને આ બધું વધારે પડતું ને બીનજરૂરીયાતનું લાગ્યું. અવિન્દનું ચાલ્યું હત તો લગ્નક્રિયા સાદામાં સાદી રીતે કરત; પરંતુ લીલાનાં માતાપિતાને એમ લગ્ન ઘસેડી કાઢવાની જરાયે મરજી ન હોવાથી મુંબાઈનાં મોટાં કુટુમ્બોમાં લગ્ન થાય છે તેમ જાહેર મિલાવડાઓ, ભપકાબંધ વરઘોડા, પાર્ટીઓ, અને વર્તમાનપત્રોમાં નોંધો સાથે લગ્ન થયાં.

લીલાને પોતાને પણ આવા જ લગ્નની હોંશ હતી, અને તે હોંશ પ્રભુએ પાર પાડી. લગ્નના પોશાકમાં અરવિન્દની સાથે ઉભી હતી, ચોરીમાં અગ્નિની આસપાસ ફેરા ફરતી હતી, મંગળાષ્ટકો ગવાતાં હતાં, તે વખતે હાયકોર્ટના જડજનાં ધણીયાણી, કાઉન્સીલના મેમ્બર, વર્તમાનપત્રના અધિપતિઓ, પારસી, યુરોપીઅન અને દેશી અમલદારો અને ત્હેમની પત્નીઓ, લીલા પાસે આવી સ્નેહથી, વિવેકથી કે ડોળથી હસી શેકહેન્ડ કરતાં–અભિનંદન (મુબારકબાદી) આપતાં તેથી લીલાનું