દિવસ ઉપર મને આમ ખબર પડી હતી કે ભૂજંગલાલ તરલાને મળ્યા ને તમે અત્યારે મારી પાસે છો એમ હતું તો હું શું કરતો તે જાણો છો ? હું તમારું ખૂન કરત. અરે ! આઘે ક્યાં જાઉં છું? આજ વીણાનો તાર “ભૂજંગલાલ આવે છે, સંભાળજો ” વાંચતાં શું થયું હતું તે પૂછો વસન્તલાલને. ભૂજંગલાલ ! તરલાએ માફી આપી? ખરેખર તરલાના જીવનનો અંત આણનાર તમે જ છો. મ્હારા સુખનું નિકંદન કરનાર તમે જ. પણ શા માટે તમને ઠપકો આપું ? પ્રભુની મરજી. તિરસ્કાર–વ્હેમ રાખવો એ દુષ્ટ વૃત્તિ આ ન થયું હતું તો દૂર ન થાત. માટે તમે મારા દુશ્મન નથી. તમે પુણ્યનું કામ કર્યું છે. પ્રભુ તમને સુખી રાખો.”
"સુમનલાલ! તરલાએ માફી આપી એમ પૂછો છો ? માફી આપી, અરે દયા વરસાવી. એ પવિત્ર દેવીના ચરણસ્પર્શથી મારું જીવન પવિત્ર બન્યું છે. જેમ શ્રી રામચંદ્રજીના પગથી અહલ્યા પવિત્ર બની હતી તેમ તરલાના પવિત્ર સ્પર્શ મારું જીવન પવિત્ર બન્યું. સ્ત્રી-પવિત્ર સ્ત્રીઓનો સ્પર્શ, તેમનાં સ્નેહભીનાં નયન, તેમના મધુર શબ્દ, તેમના પવિત્ર જીવનથી પુરૂષો-મનુષ્યો દેવ બને છે એ નિર્વિવાદ વાત છે. તરલા તરફ મારો અમુક જાતનો પ્રેમ હતો, તે પ્રેમ આજ પવિત્ર બન્યો છે. આજથી હું એને દેવી માનું છું. પરંતુ એ દેવી અત્યારે સ્વર્ગમાં હશે કે કેમ ? જીવનમૃત્યુ વચ્ચે ઝોલાં ખાતાં હતાં.”
"ભૂજંગલાલ! મ્હારી પવિત્ર તરલા કોણ જાણે જીવતી હશે કે કેમ ! હોટલમાં પહોંચીશું ત્યારે શાયે સમાચાર આવ્યા હશે ! તરલા વિના મારું શું થશે? અરવિન્દને લીલા મળી, તમને વીણાબ્હેન પ્રાપ્ત થયાં, ચંદાબ્હેન વસન્તલાલ સાથે આનંદમય જીવન ગાળે છે ત્યારે હું એક જ અટુલો થઈ પડીશ. અરે રામ !” આટલું બોલી સુમન નિરાશ થઈ ગાડીમાં પડ્યો. વીણા-ગભરાયલી વીણા ધડકતે હૃદયે સઘળું સાંભળ્યા કરતી હતી, અને સ્વપ્નવત