બનેલા એક પછી એક બનાવોને સંભારતી હતી. પોતે તાર કર્યો ત્યારે એને એમ ખબર નહી કે એનો તાર સુમનલાલના હાથમાં જશે અને એને અર્થ આ લેવાશે. તાર કે પત્રનો ઉત્તર ન આવતાં ભૂજંગલાલ રખેને કાંઈ ન કરવાનું કરી બેસે એ બીકે મુંબઈ આવવા નીકળી અને જે ગાડીમાંથી પોતે ઉતરી તે જ ગાડી નીચે સુમનલાલ નહોત તે પોતાને પ્રિય ભૂજંગ હતો ન હતો થયો હોત અને ભૂજંગલાલને બચાવનાર કોણ? તરલાનો જ પતિ ! એ પણ અકસ્માત જ ને ? એનાથી સુમનલાલનું ખેદમય મ્હોં ન જોવાયું. ભૂજંગલાલના હૃદયમાં થતા વિચારો સમજી રહેવાયું નહિ અને બોલી:
“સુમનભાઈ ! શું મ્હારા તારનું આવું ગંભીર પરિણામ ? ‘સંભાળજો'નો અર્થ એટલે જ હતો કે એ કાંઈ પોતાના શરીર ઉપર ન કરવાનું ન કરે એ જ. ભૂજંગલાલને હું સમજી શકી છું એટલું કોઈ નહી સમજ્યું હોય. એ ભૂજંગલાલ જ જૂદા છે. તરલાને પવિત્ર માનતા–માને છે. તરલાબ્હેનને હેરાન કરવા માટે પૂરેપૂરા પસ્તાતા હતા. એ પરિતાપ દુર કરવા જ અહીં આવ્યા હતા, અને કદાચ ચંદા બ્હેન-તરલા બ્હેન એમનો તિરસ્કાર કરે તો જીવને જોખમમાં નાખે એટલા જ માટે મ્હેં તાર કર્યો હતો. ભૂજંગલાલની મ્હેં બહુ કસોટી કરી અને એ કસોટીમાં એ પાર ઉતર્યા છે. હું એમની અપરાધિની છું, પણ અત્યારે ત્હમારા આગળ શું કરું? તમારો ઉપકાર કેમ ભૂલાય ? ત્હમે નહોત–ગ્રાન્ટરોડના સ્ટેશન ઉપર નહોત-દાદરનો રસ્તો બંધ નહોત-તો આજ મારી શી સ્થિતિ થાત ? સુમનભાઈ !તરલા બ્હેનને પ્રભુ બચાવશે, પણ તરલા વિના સુમનભાઈ અને ભૂજંગ વિના બીણામાં ફેર છે હોં! અમે સ્ત્રીઓનું જીવન પુરૂષ વિના શુન્ય હોં ! તમે પ્રેમાળ હો, એકપત્નીવૃતમાં માનતા હો, તો એ પત્નીના નામે પ્રાતઃસ્મરણીય મહાત્માની માફક દેશસેવા, જનસેવા કરવા સશકત થાઓ છો. અમો સ્ત્રીઓ પાંજરામાંનાં પક્ષી છીએ. સોનાનું, હીરા જડીત, કંદ, મૂળ, ફળ, ફુલથી ભરેલું, પણ આખરે પાંજરુંને ! અને