પૃષ્ઠ:Thag.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાછા છાવણીમાં: ૧૦૩
 

ઊથલપાથલમાં કોઈ પણ સૈનિક જખમી થયો નહોતો, અને બીજા કોઈ પક્ષનું માણસ મરેલું કે ઘવાયેલું પડ્યું નહોતું.

માત્ર હું ખોવાયો હતો, અને સરસામાન બળી ગયો હતો, એ બે ભારેમાં ભારે બનાવ બન્યા હતા. હું જીવતો છું કે કેમ ? જીવતો હોઉં તો ક્યાં ગુમ થયો હોઈશ ? ઠગ લોકો મને કેટલો ત્રાસ આપતા હશે ? વગેરે ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયા, તર્કવિર્તક ચાલ્યા, શોધખોળ કરવામાં આવી, ઉપર સરકારમાં નિવેદન ગયાં.

અંતે મારી છાવણીનું સ્થળ ફેરવી હાલની જગ્યાએ લાવવાનો હુકમ થયો. મારા હાથ નીચેના અમલદારને તાકીદ આપવામાં આવી. વળી એક ગોરા અફસરની હાજરીમાં જ સંઘ લૂંટાયો. એ પણ હકીકત જાહેર થઈ ! અલબત્ત, મારા દેખતાં જ સંઘ લૂંટાયો હતો ! એ ગોરો કોઈ ઠગ લોકોનો મળતિયો હશે એમ પણ કોઈએ શંકા કરી. ફરિયાદ કરવા આવેલ રામચરણ શેઠને તો હું ન જ મળ્યો, કારણ એ તો મને ઓળખી કાઢે એમ હતું !

‘કલકત્તેથી મને કેટલાક દિવસ પછી હુકમ મળ્યો કે મારે ગવર્નર જનરલ સાહેબને રૂબરૂ મળી, બધી હકીકત સમજાવી છેવટનો હુકમ લેવો. ઠગ લોકોએ અમારી છાવણી બાળી, અને લશ્કરના ઉપરીને લઈ ગયા, વળી ફરીથી છાવણીની નજીકમાં સંઘ લૂંટાયો, આ બધી હકીકત ઠગ લોકોના અત્યાચારને ગંભીર સ્વરૂપ આપી રહી હતી. વળી છૂટાંછવાયાં છમકલાં અણધાર્યા સ્થાનોએ થવા માંડ્યાં અને ખરુંખોટું પણ ઠગ લોકોનું નામ એમાં આગળ આવવા માંડ્યું. વળી નેપાળ, કાબુલ, ચીન અને રશિયામાં પણ ઠગ લોકો પોતાના સાગરીતો મારફત અંગ્રેજ સરકાર વિરુદ્ધ ચળવળો કરે છે એવી ખબરો પણ આવવા લાગી. રશિયાનો સહુ કરતાં વધારે ભય હતો.

અને સમરસિંહના ઓરડામાંથી મળી આવેલા કાગળો ઉપરથી મને ઠગ લોકોની ભયંકર શક્તિનો પૂરો ખ્યાલ થઈ ગયેલો હતો. આ બધાં કારણોએ ગવર્નર જનરલ પણ ચિંતામાં પડ્યા, અને મને તેમ જ કેટલાક આગેવાન સેનાનાયકો તથા કેટલાક બાહોશ અમલદારોને બોલાવી મસલત કરવા તેમણે ઠરાવ્યું. વળી મારી ગેરહાજરીનો ઉકેલ લાવી મારો પત્તો મેળવવા ચારે પાસ દબાણ શરૂ થઈ ગયું. વધારાનું લશકર પણ મોકલવામાં આવ્યું હતું અને છૂટી છૂટી ટુકડીઓ મને ખોળવા માટે ચારેપાસ, ફરતી કરવામાં આવી હતી. પરંતુ હું ક્યાં હતો. તે હું જ જાણતો હતો !

મારા ગુમ થવાની બીના સત્તાની વધારે હાંસી થવાનો પ્રસંગ હતો,