પૃષ્ઠ:Thag.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વર્ષો પછીનું અકસ્માત મિલન : ૧૭૭
 

સમગ્ર સ્ત્રીત્વ ઉપર આમ પડદો નાખી બેસવું એ ખરેખર મુશ્કેલ કામ છે.

‘તો પછી હવે આયેશા આઝાદને કેમ પસંદગી નથી આપતી ?’

‘એ જ મુસીબત છે. પ્રમુખપદ - ગુરુપદ - માટે હું અને આઝાદ તૈયાર થયા હતા. વૃદ્ધ ગુજરી ગયા એટલે પ્રશ્ન આગળ આવ્યો. ગુરુએ મને આજ્ઞા તો કરી જ હતી, અને આખી બિરાદરી મને માગતી હતી. આઝાદે આગ્રહ કર્યો અને આયેશાથી અલગ થવાનો મેં નિશ્વય કર્યો. આયેશા આઝાદને પરણી સુખી થાય એ માર્ગ હું ગુરુપદમાં જોઈ શક્યો. પરંતુ આયેશા અડગ રહી. આઝાદને એ રુચ્યું નહિ. એનું માનસ એટલું બધું વિકૃત બન્યું કે તે બિરાદરીને અને છેવટે આયેશાને પણ બલિદાનમાં આપવા તત્પર થયો.'

‘પણ હવે તમે છુટ્ટા થયા છો; બિરાદરી રહી નથી. તમે પ્રમુખ કોના? શા માટે આયેશાનું મન રીઝવતા નથી ?’

‘આ બન્ને દેવીની સમક્ષ ગુરુએ વ્રત લેવાં પડે છે. એ વ્રત લેનાર આ બન્ને ભોંયરાઓના અને મૂર્તિઓના રહસ્ય જાણી શકે છે. એકનું ખાનસાહેબ જાણે છે; બીજાનું આઝાદ. પરંતુ હું ગુરુ થયો ત્યારથી બન્ને રહસ્યો હું એકલો જ જાણું છું. બિરાદરી ભલે ગઈ, મારું વ્રત દેવી પાસે લીધેલું તે કેમ વૃથા થાય ?’

'હવે તમે શું કરશો ?’

‘એક જ વસ્તુ. ઈશ્વરની આરાધના કરીશ. સત્, ચિત્ અને આનંદના મહાભાવ સાથે એકતા સાધીશ. બીજું કંઈ પૂછવાનું રહે છે ?'

‘તમારા જેવા જ પરંતુ વધારે વૃદ્ધ દેખાતા બીજા સાધુ કોણ હતા ?'

‘એ હું જ હતો. આઝાદ જેમ બીનમાં કુશળ છે તેમ હું ઐયારીવેશપલટામાં કુશળ છું. આપના સરખું મુખ પણ હું મારું બનાવી શકું છું.’

અમે બન્ને થોડી વાર શાંત બેસી રહ્યા. આ થોડા માસનો ચમત્કારિક અનુભવ અદૃશ્ય થશે એ વિચારે મને દિલગીરી થતી જ હતી. મેં પૂછ્યું :

‘તમે સાધુ થઈને જનતાની કાંઈ સેવા નહિ કરો ?’

‘હં. આપણે શી સેવા કરીએ ? જિંદગીના બધા તાર બાહ્ય જગત સાથે સંવાદી બનાવી દઈએ. એ જ સેવા. ધન રાખીએ તો ગરીબીનો પ્રશ્ન ને ? સત્તા હોય તો સમાનતાની અપેક્ષા રહે ને ? ઝૂંપડી અને ભગવામાં જગત સાથે ભળી જવું એટલે બસ.’

‘આપણે કદી મળીશું ખરા ?’

'આપ સજ્જન છો. જગતમાં સજ્જનો વધે એવું કરજો. આપણે