આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
________________
ર અ'ક પહેલે છે, અને નહિ જગતમાં કોઈ એ સમજી શકે કે માણસે પિતાનાં છોકરાંને રવડતાં કરી લે કેનાં ઘર ભરવાં એવો. ધર્મનો સિદ્ધાંત છે ! જાઓ અને મીનળને સમાવી જુઓ ! નર : સમજાવીશ, અને મીનળ ખાતરીથી સમજશે જ. માફ કરો, અલુબહેન, જે બીજ લેકા વચ્ચે ન આવતા હોય તો એ મને સમજીને મને સાથ આપે જ. પણ બીજાઓની અસર એના ઉપર ઝટ થઈ જાય છે. આ અશ્વત્ર : જોધો અને એવા બીજા દારૂડિયા માટે પોતાનાં છોકરાંને ભિખારી બનાવવાં ? એમ કદી ન થઈ શકે ! મારા કહેવાનો ગુસ્સો આવતો હોય તો માફ કરે. મારાથી કહ્યા વિના નથી રહેવાતું.
- ના, ના. મને જરાયે ગુસ્સો નથી. ઊલટો હું રાજી થાઉં છું કે તમે સ્પષ્ટ બોલીને મીનળને મારા આદર્શ સન્મજાવવાની તક આપી છે – અથવા શરત બકી છે. આવતાં આવતાં હું રસ્તામાં આ વિષયને જ વિચાર કરતો હતો, એટલે હમણાં જ એની સાથે વાત કરીશ. અને તમેયે જોશો કે એ મારી જોડે સહમત થશે, કારણ કે એ ડાહી અને ગુણી છે.
અજીરવઢક્ષ્મી : સારી વાત ! માત્ર મને હજુ શંકા છે ! નવ૮ : પણ મને જરાયે શકયા નથી. કારણ, આ કંઈ મારી કલ્પનામાંથી ઉપજાવેલો સિદ્ધાન્ત નથી. એ તો આપણે જે હું દયમાં સ્વયંભૂપણે જાણીએ છીએ તે જ વાત છે, અને ગીતાએ તેને પ્રગટ કરી છે. ૧. ખ્રિસ્ત